Aapnu Gujarat
ગુજરાત

ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૬૪મા મહા પરિનિર્વાણ દિને વસાવા સમાજ ડભોઈ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

વિશ્વ વિભૂતિ મહામાનવ અને વિશ્વના શ્રેષ્ઠ બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના ૬૪માં મહા પરિનિર્વાણ દિન નિમિત્તે આજરોજ સવારના ૯ કલાકે ડભોઈ રંગઉપવન ખાતે આવેલ આંબેડકર ચોકમાં સ્થિત ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર ડભોઈ સમસ્ત વસાવા સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેલની ૬૪મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતાં. વસાવા સમાજના અગ્રણીઓ દ્વારા હાલ ચાલી રહેલ કોવિડ – ૧૯ કોરોના વાયરસથી થતી ગંભીર અને ભયંકર બીમારીને અનુલક્ષીને સરકારે જારી કરેલ ગાઈડલાઈન મુજબ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વસાવા સમાજના પ્રમુખ મહેશ એચ વસાવા, ઉપ પ્રમુખ સતીશ એન. વસાવા, આગેવાન મહેશ એમ. વસાવા,નગીન વી વસાવા, પ્રતાપ એમ. વસાવા તેમજ અન્ય એસ.ટી, એસ.સી. આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

હાર્દિકની ચૂંટણી લડવા અંગેની અરજી જજે નોટ બીફોર મી કરી

aapnugujarat

અમદાવાદના રસ્તાઓ પર નીકળી તિરંગા યાત્રા

aapnugujarat

गुजरात पर इस बार मानसून मेहरबान, ९५ फीसद हुई बारिश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1