ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું હતું કે બોલિવૂડમાં સગાંવાદ તો છે. જે છે એનો ઇનકાર કરી શકાય એમ નથી. સગાંવાદ છે અને હું પણ સગાંવાદથી જ અભિનેત્રી બની છું. આલિયાના ગૉડફાધર જેવા ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે કંગના રનૌતના સગાંવાદના આક્ષેપનો જવાબ આપતાં સગાંવાદનો બચાવ કર્યો હતો. પરંતુ એેની માનસપુત્રી જેવી આલિયાએ જરાય શબ્દો ચોર્યા વિના કહ્યુ ંહતું કે બોલિવૂડમાં સગાંવાદ છે જ. જે છે એનો ઇનકાર કરી શકાય એમ નથી. હાલ બલ્ગેરિયામાં કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં ટોચના અભિનેતા રણબીર કપૂર સાથે શૂટિંગ કરી રહેલી આલિયા સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની પુત્રી છે. તાજેતરમાં એની રાઝી ફિલ્મે ૧૦૦ કરોડથી વધુ બિઝનેસ કરીને આલિયાને ટોચના કલાકારોની હરોળમાં મૂકી દીધી હતી. એણે મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે હું ફિલ્મી પરિવારમાંથી ન આવતી હોત તો મારી કેવી દશા હોત એની કલ્પના કરતાં પણ ધૂ્રજી ઊઠું છું.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ