ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને જણાવ્યુ કે, તલાક સિવાય પીએમ મોદીએ પોતાના લગ્નનો પણ પોતાના ભાષણમાં ઉલ્લેખ કરવો જોઈએ. વારાણસીમાં પીએમ મોદીએ ત્રણ તલાકનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીના નિવેદન બાદ આઝામ ખાને વળતો પ્રહાર કર્યો હતો.
પીએમ મોદીએ જનસભાને સંબોધતા જણાવ્યુ હતુ કે,, કોંગ્રેસ ત્રણ તલાક દ્વારા મુસ્લિમ યુવતી અને મહિલાઓની જીંદગી નર્ક બનાવી રહી છે. પીએમ મોદીના નિવેદન બાદ આઝમ ખાને જણાવ્યુ કે, પીએમ મોદીને ત્રણ તલાકની વધારે ચિંતા છે તો એ ફેરાને પણ ઉલ્લેખ કરવો જોઈએ જે તેમણે લીધા હતા. આઝામ ખાને વધુમાં જણાવ્યુ કે, ઉત્તર પ્રદેશમાં એનેટી રોમિયો સ્કવોડની ફરીવાર રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી એવુ ફલીત થાય છે કે, ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરૂદ્ધ અત્યાચારની ઘટના વધી રહી છે.