Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમરનાથ શ્રદ્ધાળુઓની ચોથી ટીમ રવાના

જમ્મુ કાશ્મીરમાં પુરની સ્થિતિ વચ્ચે અમરનાથ યાત્રીઓનો ચોથો જથ્થો આજે રવાના થયા હતો. ભારે વરસાદથી બાલતાલ અને પહેલગામ ટ્રેક ઉપર ત્રણ દિવસથી યાત્રા રોકાયેલી હતી. સુરક્ષાના મજબૂત ઇંતજામ કરવામાં આવ્યા હોવા છતાં શ્રદ્ધાળુઓમાં કોઇ દહેશત દેખાઈ રહી નથી. સઘન સુરક્ષા વચ્ચે નવો કાફલો રવાના થઇ ચુક્યો છે. આ જથ્થામાં આશરે ૩૦૦૦ અમરનાથ યાત્રી બેઝકેમ્પ તરફ નિકળ્યા હતા. તેમની સાથે ૯૦ ગાડીઓ રવાના થઇ હતી. તે પહેલા શુક્રવારના દિવસે ઉધમપુર હાઇવે ઉપર ફસાયેલા આશરે બે હજાર યાત્રીઓને પહેલગામ માટે રવાના કરવામાં આવ્યા હતા. બીજી બાજુ શનિવારના દિવસે ત્રીજા દિવસે સાંજ સુધી ૫૮૭ યાત્રીઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. આજે હવામાનની સ્થિતિ સ્પષ્ટ થઇ ગયા બાદ કેમ્પથી યાત્રીઓને આગળ વધવાની મંજુરી આપવામાં આવી હતી. નોંધણી વગરના યાત્રીઓની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ તમામ યાત્રીઓને રામબાણ અને બનીહાલમાં રોકી દેવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે મધ્ય અને દક્ષિણ કાશ્મીરમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જારી કરીને લોકોને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. આજે સ્થિતિમાં સુધાર થતાં તંત્રએ રાહત અનુભવી હતી. ભારે વરસાદ થયા બાદ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઝેલમ નદીમાં પાણીની સપાટી હજુ પણ ભયજનક સ્તરથી ઉપર છે. પુરની શક્યતાઓને ધ્યાનમાં લઇને ગૃહમંત્રી રાજનાથસિંહે રાજ્યપાલ વોરાસાથે ફોન પર વાતચીત કરી છે. રાજ્યને તમામ પ્રકારની સહાયતા આપવાની વાત પણ કરવામાં આવી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો ગયા બુધવારના દિવસે સવારે જમ્મુથી બાલતાલ અને બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. ૬૦ દિવસની આ યાત્રામાં આ વખતે અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. અમનારથ યાત્રા ૨૬મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તાઓ છે. આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જોડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પોતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા ૪૮ કિલોમીટરના અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિલોમીટરના અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય છે પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનો ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માર્ગ તરીકે છે. આ રૂટથી ગુફા સુધી પહોંચવા ત્રણ દિવસ લાગે છે.અમરનાથ યાત્રામાં પ્રથમ વખત ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે યાત્રા માર્ગમાં જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સાથે ૬૦ હજારથી વધુ જવાનોની તૈનાતી કરી છે.

Related posts

ચૂંટણી ઢંઢેરામાં જે કહ્યું છે તે કરીેને દમ લઈશું : રાજનાથસિંહ

aapnugujarat

પાક.ને ઝટકો : પહેલીવાર ઇસ્લામિક સહકાર સંગઠનની બેઠકમાં ભારત, સુષમા સ્વરાજ બનશે ‘ગેસ્ટ ઓફ ઓનર’

aapnugujarat

फ्री मेट्रो राइड : सुप्रीम ने दिल्ली सरकार से कहा आप मुफ्त क्यों दे रहे हैं, इससे मेट्रो को घाटा हो सकता है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1