ગાંધીનગર નિવાસી સમસ્ત વણકર સમાજ દ્વારા સમાજની પ્રતિભાને સન્માનિત કરવાનાં કાર્યક્રમનું આયોજન ગાંધીનગર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ડૉ. કરસનદાસ સોનેરી (કાર્યકારી પ્રમુખ જી.પી.સી.સી.), ઉદ્ઘાટક તરીકે રતિલાલ વર્મા (પૂર્વ સાંસદ), મુખ્ય મહેમાન તરીકે રાકેશ આર. અમીન (આસી. ઓફિસર એન્ડ જનરલ મેનેજર જીઆઈએલ), અતિથિ વિશેષ તરીકે કે.કે.ચૌહાણ (નિવૃત્તી આઈ.એ.એસ.) હાજર રહ્યાં હતાં.
આ કાર્યક્રમનાં આયોજક સમિતિનાં સભ્યો અશોક સોનેરી, સી.એમ.વર્મા, ડી.એમ.પરમાર, શિરીષ મકવાણા, જશવંત અમીન, ઈશ્વરભાઈ પરમાર, મહેશ ગોહિલ, મેહિલ સોલંકી, મોહનભાઈ પરમાર, ચીમન વિંઝુડા, નિલેષ ચૌહાણ, પંકજ વાઘેલા, સ્નેહલ વાણિયા અને નરસિંહ પરમાર પણ હાજર રહ્યાં હતાં.
આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં નિમેષ વાઘેલા (પ્રમુખ), દેવેન વર્મા (ઉપપ્રમુખ) અને ભૌમિન લેઉઆએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પાછલી પોસ્ટ