Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસ સાથે પ્રિપોલ જોડાણ કરવાની માયાની હિલચાલ

વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો અત્યારથી જ પોત પોતાની તૈયારીમાં લાગી ગયા છે. વિપક્ષી એકતાના પ્રયાસો પણ થઈ રહ્યા છે પરંતુ આને મોટો ફટકો પડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીને પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. અલબત્ત પાર્ટીને છેલ્લી સામાન્ય ચૂંટણીમાં સંસદના નીચલા ગૃહમાં એક પણ સીટ મળી ન હતી છતાં પાર્ટી માયાવતીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવા વિચારી રહી છે.
આ સંદર્ભમાં નિર્ણય કોઈપણ સમયે કરવામાં આવી શકે છે. બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય કોરોબારીની બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા થઈ રહી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપને પરાજિત કરવાના હેતુસર તમામ વિરોધ પક્ષો એક થઈ રહ્યા છે ત્યારે નેતૃત્વના મુદ્દા ઉપર પહેલાથી જ ખેંચતાણ શરૂ થઈ ચુકી છે.
ભાજપ શાસિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે પ્રિપોલ જોડાણની શક્યતા ચકાસવામાં આવી રહી છે. માયાવતીએ છેલ્લા થોડાક સપ્તાહમાં દિલ્હીમાં શ્રેણીબદ્ધ બેઠકો યોજી છે. વ્યૂહરચના ઉપર ચર્ચા કરી છે. આગામી રાજ્ય ચૂંટણીઓ માટે નવી નવી વ્યૂહરચના ઉપર નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી છે. ઉમેદવારોની યાદી ઉપર પણ વાતચીત થઈ રહી છે. બહુજન સમાજ પાર્ટી ઉત્તરપ્રદેશમાંથી બહાર નીકળીને રાષ્ટ્રીય સ્તર ઉપર ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. બસપે હાલમાં જ કર્ણાટકમાં ચુંટણી પહેલા જોડાણ માટે જનતાદળ સેક્યુલર સાથે હાથ મિલાવ્યા હતા અને કર્ણાટકમાં એક સીટ જીતી લીધી હતી.
જોકે માયાવતીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાને લઈને રાજકીય પક્ષો હાસ્યાસ્પદ નિવેદનો કરી રહ્યા છે. લોકસભામાં એકપણ સીટ ન મેળવનાર પાર્ટી પણ વડાપ્રધાન પદના ઉમેદવારની વાત કરે છે જે ખૂબ હાસ્યાસ્પદ અને લાલચી છે.

Related posts

ખાંડની લઘુત્તમ વેચાણ કિંમતમાં ટૂંકમાં વધારો થશે

aapnugujarat

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સરકારે આપી છૂટ

editor

‘‘ફિર એકબાર મોદી સરકાર’’ : મોદી ‘બાહુબલિ’, શાહ ‘ચાણક્ય’ સાબિત થયાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1