Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટક ચૂંટણીઃ સિદ્ધારમૈયાએ કહ્યું મને વિશ્વાસ છે કે કોંગ્રેસ ૧૨૦થી વધુ સીટથી જીતશે

કર્ણાટક વિધાનસભા ચૂંટણી ૨૦૧૮ માટે આજે ૨૨૪માંથી ૨૨૨ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થયું હતું. કર્ણાટકમાં ૧૦૩ વર્ષના મહિલાએ પાંડેશ્વરા, મેંગલુરૂમાં કર્યું મતદાન કર્યું હતું. આ સાથે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ બસાવનગરમાંથી, પૂર્વ વિદેશ મંત્રી અને બીજેપી નેતા એસએમ કૃષ્ણએ બેંગ્લુરૂથી મત આપ્યો હતો.
અભિનેતા રમેશ અરવિંદ પણ સવારે તેમની પુત્રી સાથે મત આપવા માટે પહોંચ્યા હતા.મતદાન કરવા દાનિશ અલી, જેડી(એસ)એ કહ્યું કે અમે લોકોને તેમના વોટિંગ અધિકારનો ઉપયોગ કરવાનો અને સ્વચ્છ છબીની સરકાર પસંદ કરવા માટે અપીલ કરીએ છીએ. અમને આશા છે કે પ્રજા દેશના રાજકારણને બદલવા માટે આજે એક મોટો નિર્ણય લેશે, રાષ્ટ્રીય દળો ભાજપ અને કૉંગ્રેસને નકારી દેશે અને તેની જગ્યાએ જેડી(એસ)-બસપા ગઠબંધન માટે મતદાન કરશે.
તો બીજી તરફ અશોક ગેહલોત મોદી પર પ્રહાર કરતા કહ્યું કે કર્ણાટકમાં આચારસંહિતા લાગૂ છે. તેથી વડાપ્રધાન મોદીએ મતદાતાઓને પ્રભાવિત કરવા માટે નેપાળના મંદિરોમાં પ્રાર્થના કરવાની યોજના બનાવી છે. આ લોકતંત્ર માટે એક સારી પ્રવૃત્તિ નથી. તેમણે આજનો દિવસ કેમ પસંદ કર્યો?  તો બીજી તરફ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે મને વિશ્વાસ છે કે અમારી પાર્ટી ૧૨૦થી વધુ સીટથી જીતશે. જ્યારે યેદિયુરપ્પા અંગે તેમણે કહ્યું કે તેમની માનસિક સ્થિતિ બરાબર નથી.
સવારે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાદ બી.એસ. યેદિયુરપ્પાએ શિમોગાના શિકારપુરમાં મતદાન કર્યું હતું. આ સાથે બેલ્લારી- ભાજપના કે બી શ્રીરામાલુએ પોતાનો મત આપતા પહેલાં ગૌપૂજા કરી હતી. તેઓ હાલમાં સીએમ સિદ્ધારમૈયાની સામે બાદામી સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપ સાંસદ રાજીવ ચંદ્રશેખરે બેંગલુરૂના કોરમંગલામાં, મૈસૂરના પૂર્વ શાહી પરિવારના કૃષ્ણદત્ત ચમરાજા વાડિયારે મૈસૂરથી અને શ્રી શ્રી રવિશંકરે કનકપુરથી મતદાન કર્યું હતું.કર્ણાટક વિધાનસભા ચૂંટણી ૨૦૧૮ માટે આજે ૨૨૪માંથી ૨૨૨ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાદ બી.એસ.યેદિયુરપ્પાએ શિમોગાના શિકારપુરમાં મતદાન કર્યું હતું. આ સાથે બેલ્લારી- ભાજપના કે બી શ્રીરામાલુએ પોતાનો મત આપતા પહેલાં ગૌપૂજા કરી હતી. તેઓ હાલમાં સીએમ સિદ્ધારમૈયાની સામે બાદામી સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપ સાંસદ રાજીવ ચંદ્રશેખરે બેંગલુરૂના કોરમંગલામાં, મૈસૂરના પૂર્વ શાહી પરિવારના કૃષ્ણદત્ત ચમરાજા વાડિયારે મૈસૂરથી અને શ્રી શ્રી રવિશંકરે કનકપુરથી મતદાન કર્યું હતું.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી ૨૦૧૮ માટે આજે કર્ણાટકમાં ૨૨૪માંથી ૨૨૨ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. રાજ્યના ૪.૯૮ કરોડ લોકો આજે મતાધિકારનો ઉપયોગ કરી મત આપશે. ત્રિપાંખિયા જંગમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે જોવા મળશે, જ્યારે જદએસ કિંગમેકરની ભૂમિકા માટે સજ્જ થઈ રહ્યો છે. ચૂંટણીમાં ૨.૫૨ કરોડ પુરૂષ મતદાર, ૨.૪૪ કરોડ મહિલા મતદાર, ૪૪૫૨ ટ્રાન્સજેન્ડર મતદાર છે. તો ચૂંટણીમાં કુલ ૨૬૦૦ ઉમેદવાર, ૫૫૬૦૦ મતદાન મથક અને ૩.૫ લાખ સુરક્ષાજવાન તહેનાત કરાયા છે. ચૂંટણી પહેલા કર્ણાટકના આરઆર નગર વિધાનસભા વિસ્તારમાં એક ફ્લેટમાં મોટા પ્રમાણમાં બોગસ વોટર આઈડી કાર્ડ મળી આવતા હવે અહીં ચૂંટણી હાલ મોકૂફ રાખવામાં આવી છે. કર્ણાટક ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિસ્તારમાંથી બોગસ મતદાર કાર્ડ મળી આવ્યા છે ત્યાં હવે ૨૮મેના મતદાન યોજાશે અને મતગણતરી ૩૧મેના થશે.
આ ચૂંટણીમાં મુખ્ય ટક્કર બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે છે. ચૂંટણીનું પરિણામ ૧૫મેના આવશે. રાજ્યમાં કુલ ૨૨૪ સીટો છે. પરંતુ બે સીટો ઉપર આજે મતદાન સ્થગિત છે. એક સીટ ઉપર મતદાન બીજેપીના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય બી એન વિજયકુમારના નિધન થવાથી સ્થગિત રાખવામાં આવ્યું છે. બીજી તરફ આરઆર નગર બેઠક ઉપર મતદાન ઓળખ પત્ર મળવાની ફરિયાદ બાદ વોટિંગ સ્થગિત રાખવામાં આવ્યું છે.

Related posts

India कोरोना के ज्यादा जोखिम वाले 15 देशों में शामिल

editor

મોદીએ વારાણસીમાં ઉમેદવારીપત્ર ભર્યું

aapnugujarat

કેરળમાં જળપ્રલય : હજુય ૩૨ લાપતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1