Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇપીએફઓ વ્યાજદર ૮.૫૫ ટકા રાખવાની દરખાસ્તને મંજુરી

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં નાણા મંત્રાલયે વર્ષ ૨૦૧૭-૧૮ માટે ઇપીએફઓ વ્યાજદર ૮.૫૫ ટકા રાખવાની દરખાસ્તને મંજુરી આપી દીધી છે. પબ્લિક પ્રોવિડંડ ફંડ સહિત તમામ નાની બચતની સ્કીમોના રેટ આની સાથે જ ઘટ્યા છે. ઇપીએફઓનો વ્યાજદર હવે પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે. ઇપીએફઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ વ્યાજદરને મંજુરી આપી છે. જો કે, નાણામંત્રાલય દ્વારા કેટલાક સૂચનો કરાયા હોવાની કબૂલાત શ્રમ મંત્રાલયના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારના નેતૃત્વમાં ઇપીએફઓ ટ્રસ્ટીની બેઠક ૨૧મી ફેબ્રુઆરીના દિવસે યોજાઈ હતી જેમાં ૨૦૧૭-૧૮ માટે ૮.૫૫ ટકાના વ્યાજદરની જાહેરાત કરાઈ હતી. અગાઉના વર્ષ માટે પ્રોવિડંડ ફંડ બચત પર ૮.૬૫ ટકા અને ૨૦૧૫-૧૬માં ૮.૮ ટકા વ્યાજદર ચુકાયો હતો જ્યારે ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫માં ઇપીએફઓ ધારકો માટે વ્યાજદર ૮.૭૫ ટકા હતો. શ્રમ મંત્રી સંતોષકુમાર ગંગવારે હાલમાં કહ્યું હતું કે, રિટાયર્ડમેન્ટ ફંડ બોડી ઇપીએફઓના પાંચ કરોડથી વધુ ધારકોને ૨૦૧૭-૧૮ માટે ૮.૫૫ ટકાના વ્યાજદર આપવાને લઇને નાણામંત્રાલય સાથે કોઇપણ પ્રકારનો વિખવાદ નથી. ઇપીએફ ઉપર ૮.૫૫ ટકાના વ્યાજદરના મુદ્દે નાણાં મંત્રાલય સાથે કોઇપણ પ્રકારે ખેંચતાણ હોવાનો ગંગવારે ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મિડિયામાં આવેલા અહેવાલ આધારવગરના છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીને એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશનની સર્વોચ્ચ બેંક તરીકે ગણવામાં આવે છે. સીબીટીએ ૨૧મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે છેલ્લા નાણાંકીય વર્ષ માટે ઇએફએફ પર ૮.૫૫ ટકાનો વ્યાજદર રાખવાનો નિર્ણય કર્યો હતો. આ દરખાસ્ત મંજુરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવી હતી. ગંગવારે ઉમેર્યું હતું કે, ૨૦૧૭-૧૮ માટે ઇપીએફ ડિપોઝિટ ઉપર ૮.૫૫ ટકાના વ્યાજદરના મુદ્દે અમારી દરખાસ્ત ફગાવી દેવામાં આવી નથી. સૂચિત વ્યાજદરના મુદ્દે કોઇ વિખવાદની સ્થિતિ નથી. ૨૦૧૬-૧૭માં ૮.૬૫ ટકાનો વ્યાજદર હતો. વર્ષ ૨૦૧૭-૧૮ માટે ૮.૫૫ ટકાનો વ્યાજદર આપવામાં આવ્યા બાદ ઇપીએફઓ પાસે ૫૮૬ કરોડ રૂપિયાની સરપ્લસ રકમ રહેશે. વ્યાજ ૮.૫૫ ટકા રાખવાની સ્થિતિ બાદ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચી સપાટી છે. એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ જે ઇપીએફઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે તે હેઠળ લઘુત્તમ માસિક પેન્શનના વધારા અંગે વાત કરતા ગંગવારે કહ્યું હતું કે, લઘુત્તમ માસિક પેન્શનમાં વધારાની કોઇ દરખાસ્ત નથી. સરકારે ૨૦૧૪-૧૫ માટે ૮૦૦ કરોડ રૂપિયા ચુકવ્યા હતા. સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા તાજેતરના સમયમાં માસિક પેન્શનને વધારી ૩૦૦૦ રૂપિયા કરવાની માંગ કરી છે. આ ઉપરાંત આ લોકોએ ફુગાવાની સાથે આને જોડી દેવાની પણ માંગણી કરી છે. એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)માં રોકાણને વધારવાના સંદર્ભમાં વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, નાણા મંત્રાલયે પહેલાથી જ એક પદ્ધતિ અમલમાં મુક છે જેના ભાગરુપે પ્રાઇવેટ પ્રોવિડંડ ફંડ દ્વારા ઇક્વિટી લિક્ડ સ્કીમ અથવા તો ઇક્વિટીમાં પાંચ ટકાથી લઇને ૧૫ ટકા રોકાણ માટે જોગવાઈ કરવામાં આવી છે. ઇપીએફઓએ ઓગસ્ટ ૨૦૧૫માં રોકાણની શરૂઆત કરી હતી. ૨૦૧૫-૧૬માં રોકાણ કરી શકાય તેવા થાપણમાં પાંચ ટકાનું રોકાણ કરાયું હતું. ઇપીએફઓ દ્વારા ૧૭.૨૩ ટકાના રિટર્ન ઇટીએફમાં ૪૧૯૬૭.૫૧ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. નાણામંત્રાલય દરખાસ્તને મંજુરી આપશે કે કેમ તેને લઇને ચાલી રહેલી અટકળોનો હવે અંત આવી ગયો છે. સાથે સાથે શ્રમ મંત્રાલયની દરખાસ્તમાં કોઇ વધારે ફેરફાર પણ કરવામાં આવ્યા નથી. જો કે, ઇપીએફ સહિત તમામ નાની બચતની સ્કીમોમાં રેટ સાથે છેલ્લા એક વર્ષમાં ઘટાડો થયો છે. જો કે, ઇપીએફઓનો ૮.૫૫ ટકાનો રેટ હજુ પણ સર્વશ્રેષ્ઠ રેટ છે. કારણ કે ડિસેમ્બરમાં સરકારે નાની બચતની સ્કીમ પર વ્યાજદર ૨૦ બેઝિક પોઇન્ટ સુધી ઘટાડી દીધો હતો.

Related posts

आदिवासी वोटर्स पर मोदी का फोकस

aapnugujarat

नवान्न में सीएम ममता बनर्जी से मिलेंगे मनसे प्रमुख राज ठाकरे

aapnugujarat

સ્વાતિ માલીવાલે ૧૬ છોકરીઓને બચાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1