Aapnu Gujarat
મનોરંજન

આમ્રપાલી ફિલ્મની રિમેક પર કામો શરૂ કરી દેવાયા : રિપોર્ટ

વર્ષ ૧૯૬૬માં બનેલી સુનિલ દત્ત અને વૈજયંતિ માલા અભિનિત ફિલ્મ અમ્રપાલીની રિમેક બનાવવાની તૈયારી હવે શરૂ કરવામાં આવી ચુકી છે. આ ફિલ્મનુ શુટિંગ ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે. દક્ષિણ ભારતની અભિનેત્રી જિનાલ પંડ્યા આ ફિલ્મમાં અભિનેત્રી તરીકેની ભૂમિકા અદા કરનાર છે. હવે એવુ જાણવા મળ્યુ છે કે ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મમાં સંજયદત્તને લેવાનો નિર્ણય કર્યો છે. જે મોટી ભૂમિકા અદા કરનાર છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે ગયા વર્ષે જ જિનાલ સાથે સંબંધિત કેટલીક બાબતોને પૂર્ણ કરી લેવામાં આવી છે. સંજય દત્ત પહેલથી જ આ પ્રોજેક્ટને લઇને લીલીઝંડી આપી ચુક્યો છે. ફિલ્મના શુટિંગને લઇને ટેકનિકલ કામ પૂર્ણ કરી લીધા બાદ આગળ વધારી દેવામાં આવનાર છે. સંજયદત્તે ફિલ્મને લઇને તારીખ પણ આપી દીધી છે. શરૂઆતના હિસ્સાનુ નિર્દેશન અતુલ ગર્ગ કરનાર છે. સરોજ ખાન અને ગાયિકા મધુશ્રીની મદદ લેવામાં આવી રહી છે. મધુશ્રીએ માહિતી આપતા કહ્યુ છે કે આ ફિલ્મ સંગીત પ્રધાન છે. તેમાં લતાના ગીતો આજે પણ તમામને રોમાંચક કરી નાંખે છે. ફિલ્મનુ શુટિંગ વારાણસી, જયપુર, ગયા, સહિતની જગ્યાએ કરવામાં આવનાર છે. ફિલ્મના સેટને તૈયાર કરવ માટે ખાસ લોકોને આમંત્રિત કરવામા આવી રહ્યા છે.
સ્ટાર સંજય દત્ત અન્ય કેટલીક ફિલ્મો પણ હાલમાં કરી રહ્યો છે સંજય દત્ત જેલની સજા ગાળીને બહાર આવ્યા બાદ કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. જો કે તે હવે સફળતા મેળવશે કે કેમ તેને લઇને સસ્પેન્સ છે. તેની લોકપ્રિયતા ચાહકોમાં અકબંધ રહી છે. તેની બાયોગ્રાફિક પર ફિલ્મ બની રહી છે. જેમાં રણબીર કપુર પોતે કામ કરી રહ્યો છે. ફિલ્મમાં ત્રણ અભિનેત્રીઓ લેવામાં આવી રહી છે.

Related posts

કાશ્મીરમાં ઇમરાન હાશ્મી થયો પથ્થરમારો

aapnugujarat

ઐશ્વર્યાને લઈ વિવેક ઓબેરોયના ટિ્‌વટ પર સલમાન ખાને કહ્યું કે તે અન્ય લોકોના ટ્‌વીટ પર ધ્યાન આપતો નથી

aapnugujarat

ફિલ્મ અભિનેત્રી રીટા ભાદુરીનું અવસાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1