રાહુલ ગાંધીના ટિ્વટ ઉપર કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ માઇક્રો બ્લોગિંગ સાઇટ ઉપર આકરા પ્રહારો કર્યા છે. સ્મૃતિએ ટિ્વટ કરીને કહ્યું છે કે, રાહુલ ગાંધીને એમ લાગે છે કે જે તેઓ કહી રહ્યા છે તે થઇ રહ્યું છે પરંતુ આનાથી બિલકુલ વિરુદ્ધમાં કામ થઇ રહ્યું છે. રાહુલ ગાંધી જે કહે છે તેની વિપરિત ટીમ કામ કરી રહી છે. સ્મૃતિએ દાવો કરતા કહ્યું છે કે, નમો એપને ડિલિટ કરવાના બદલે તેમની ટીમે કોંગ્રેસ એપને જ ડિલિટ કરી દીધી છે. સ્મૃતિએ કહ્યું છે કે, હવે જ્યારે અમે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે કોંગ્રેસ ડેટા સિંગાપોરના સર્વરોમાં કેમ મોકલે છે તેનો જવાબ રાહુલ ગાંધી પાસે નથી. જેને કોઇપણ ટોમ, ડીક અથવા તો એનાલિટીકા હાંસલ કરી શકે છે. સ્મૃતિએ કહ્યું છે કે, છોટા ભીમ પણ જાણે છે કે, એપ ઉપર સામાન્ય રુપથી માંગવામાં આવેલી મંજુરીનો મતલબ જાસુસી થતો નથી. કેન્દ્રીયમંત્રીએ કહ્યું છે કે, રાહુલ ગાંધીએ નમો એપનો આભાર માનવો જોઇએ. આના કારણે તેમને એનસીસી અંગે માહિતી મળી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ