પદ્માવતિ ફિલ્મની તૈયારીમાં રહેલા જાણીતા નિર્દેશક સંજય લીલા ભણસાલી હવે નવી ફિલ્મને લઇને તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ નવી ફિલ્મમાં હવે દિપિકા અને અભિષેક બચ્ચનને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મ જાણીતી કવિયત્રી અમૃતા પ્રીતમ પર બનાવવામાં આવનાર છે. એમ માનવામાં આવે છે કે આ ફિલ્મમાં લીડ રોલમાં અભિષેક બચ્ચન નજરે પડી શકે છે. અભિષેક ફિલ્મમાં સાહિર લુધિયાનવીના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં સાહિર અને અમૃતા પ્રીતમની પ્રેમ કથાને દર્શાવવામાં આવનાર છે. આ ફિલ્મને લઇને કામ પદ્માવતિ ફિલ્મ બાદ હાથ ધરવામાં આવનાર છે. સાહિરને લઇને તેમની શોધ પહેલાથ જ શરૂ કરી દેવામાં આવી છે. અભિષેકના પિતા અને મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સાહિરની સાથે કભી કભી અને ત્રિશુલ ફિલ્મમાં કામ કરી ચુક્યા છે. આના કારણે અભિષેકને રોલ કરવામાં મદદ મળશે. આ પહેલા સંજય દ્વારા રોલ માટે શાહરૂખ ખાન સાથે વાત કરી હતી. જો કે શાહરૂખખાનના નામ પર સહમતિ થઇ ન હતી. શાહરૂખને ફિલ્મની પટકથા પસંદ પડી હતી. જો કે વાત આગળ વધી ન હતી. આખરે નવા કલાકારોના નામ પર વિચારણા હાથ ધરવામાં આવી હતી. હવે અભિષેકની પસંદગી કરવામાં આવી છે. દિપિકા મોટા ભાગે સંજયલીલાની ફિલ્મોમાં નજરે પડી છે. સંજય લીલાની ફેવરીટ સ્ટાર તરીકે હવે દિપિકા બની ગઇ છે. આ જોડી જાદુ જગાવશે કે કેમ તે તો સમય જ બતાવશે પરંતુ ફિલ્મ ખુબ મહેનતથી તૈયાર કરવામાં આવનાર છે. આ પણ તેમના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે જ રહેશે.
પાછલી પોસ્ટ