Aapnu Gujarat
મનોરંજન

રાજુ શ્રીવાસ્તવ ૩૫ દિવસથી ભાનમાં ન આવતા પરિવાર ચિંતિત

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થય અંગે દરરોજ કોઈને કોઈ નવી અપડેટ સામે આવી રહી છે. તેઓ છેલ્લા ૩૫ દિવસથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ હોવા છતા હજુ સુધી ભાનમાં આવ્યા નથી. ડોક્ટર સતત તેમના ઉપર નજર રાખી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવનું મગજ કામ કરી શકતું ન હોવાના કારણે તેઓ ભાનમાં આવી શક્યા નથી. જ્યાં સુધી તે ભાનમાં ન આવે ત્યાં સુધી ડોક્ટરો માટે કંઈ પણ કહેવું મુશ્કેલ છે.
ડોક્ટરે રાજુ શ્રીવાસ્તવને ભાનમાં લાવવાના તમામ સંભવિત પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થતો જોવા મળતો નથી. છેલ્લા ૩૫ દિવસોથી સારવાર ચાલી રહી છે અને તેઓ સતત વેલ્ટિનેટરનોસપોર્ટ આપી રહ્યા છે. ડોક્ટરોના અનુસાર તેમની સારવારમાં શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવા છતાં તેમની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો થતો જોવા મળી રહ્યો નથી.
રાજુના પરિવારને ડોક્ટર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ તેમને જલ્દી સાજા કરી દેશે. રાજુ શ્રીવાસ્તવના પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને સંબંધીઓ તથા ચાહકો તેમના માટે સતત પ્રાર્થનાઓ કરી રહ્યા છે. રાજુના ભાઈએ કહ્યું હતું કે, રાજુ ૧૦ ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ છે. સમય વિતવાની સાથે તેમની ચિંતાઓ પણ વધી રહી છે તેમ છતાં તેમને ડોક્ટરો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમને આશા છે કે કોઈ ચમત્કાર થશે.
હકીકતમાં રાજુ શ્રીવાસ્તવના મગજ સિવાય તેમના શરીરના બાકીના તમામ અંગો સંપૂર્ણપણે ઠીક છે. તાજેતરમાં તેમને ઈન્ફેક્શનના કારણે તાવા આવી ગયો હતો. ડોક્ટરો ઈન્ફેક્શન સાથે જોડાયેલી શંકાઓ દૂર કરવાના પ્રયત્નમાં લાગી ગયા હતા. નજીકના મિત્રોને પણ તેમની પાસે જતા અટકાવવામાં આવ્યા હતા. આ સાથે તેમના વેન્ટિલેટરની પાઈપને પણ બદલવામાં આવી હતી. રાજુ શ્રીવાસ્તવને ભાન આવ્યા બાદ એ શક્ય છે કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય પરંતુ તેમનું ભાનમાં આવવું ખૂબ જ જરૂરી છે. તેમના સ્વાસ્થ્ય માટે નજીકના મિત્રો, સંબંધીઓ, ચાહકો અને બોલિવુડ સેલિબ્રિટીઓ પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે તે જલ્દીથી સાજા થઈને પોતાના ઘરે પરત ફરે તથા લોકોનું એક વખત ફરીથી મનોરંજન કરી શકે.
તમને જણાવી દઈએ કે, ૧૦ ઓગસ્ટના રોજ જીમમાંથી એક્સરસાઈઝ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવ પડી ગયા હતા. ત્યારબાદ તેમને ત્યાંના લોકોએ ઉઠાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલમાં દાખલ થતા જ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

Related posts

હુમા કુરેશી હાલ કોઇ મોટી ફિલ્મ કરી રહી નથી

aapnugujarat

एक दिन में मिलते हैं 32000 ‘हेल्प मैसेज’- सोनू सूद

editor

राम मंदिर पर फिल्म बनाएंगी कंगना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1