Aapnu Gujarat
મનોરંજન

ઇરફાન ન્યુરો ઇન્ડોક્રાઈન ટ્યુમરથી ગ્રસ્ત છે : રિપોર્ટ

લોકપ્રિય અભિનેતા ઇરફાન ખાનને કઇ બિમારી થયેલી છે તેને લઇને પ્રવર્તી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. ઇરફાન ખાને પોતે આ અંગે ખુલાસો કર્યો છે. ઇરફાને કહ્યું ચે કે, તે ન્યુરોઇન્ડોક્રાઈન ટ્યુમરથી ગ્રસ્ત છે. થોડાક દિવસ પહેલા જ ઇરફાને સોશિયલ મિડિયા ઉપર પોતાની બિમારીને લઇને પોસ્ટ કરીને માહિતી આપી હતી જેમાં રેયર ડિસીજનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ઇરફાને એ વખતે લખ્યું હતું કે તે પોતે આ અંગે માહિતી આપશે. કોઇપણ પ્રકારની અટકળો કરવામાં ન આવે. ઇરફાને આજે ટિ્‌વટર હેન્ડલથી માહિતી આપતા કહ્યું હતું કે, જેની અપેક્ષા ન હતી તે આપને આગળ વધવામાં મદદ કરે છે. છેલ્લા થોડાક દિવસો આ રીતે જ પસાર થયા છે. તેને ન્યુરોઇન્ડોક્રાઈન ટ્યુમર હોવાની વાત જાણવા મળી છે. ખુબ મુશ્કેલ સમયનો ગાળો રહ્યો છે પરંતુ તેની પાસે લોકોના પ્રેમ અને તાકાતના લીધે આશા જાગી છે. આ પ્રવાસમાં તેને વિદેશ જવાની જરૂર પડી રહી છે. તે તમામને પ્રાર્થના કરે છે કે પોતાની શુભકામનાઓ મોકલતા રહે. એવી અફવાઓ હતી કે ન્યુરોનો અર્થ દિમાગ સાથે હોય છે. માહિતી મેળવવાની સૌથી સરળ બાબત એ છે કે, ગુગલ પર સર્ચ કરી લેવામાં આવે. જે લોકો તેના અંગે માહિતી મેળવવા ઇચ્છુક હતા તેમને આ માહિતી આપી રહ્યા છે. ત્યારબાદ વધારે સ્ટોરી સાથે પરત આવશે. તેનું કહેવું છે કે, હાલમાં બ્રેઇન કેન્સરને લઇને લોકો અટકળો લગાવી રહ્યા હતા. ઇરફાન ખાનની તબિયતને લઇને માહિતી હજુ વધારે આપવામાં આવી નથી પરંતુ તે સારવાર માટે વિદેશ જઇ રહ્યો છે. ઇરફાને પોતાના ચાહકોને તેના માટે પ્રાર્થના કરવા માટે કહ્યું છે. ઇરફાને પોતાના ટિ્‌વટમાં કહ્યું છે કે, આ બિમારી દિમાગના સંદર્ભમાં નથી. આ બિમારીનું નામ ન્યુરોઇન્ડોક્રાઈન ટ્યુમર છે. આ બિમારીના કેટલાક પ્રકાર હોઈ શકે છે. આ બિમારીની સારવાર કેટલીક ચીજો ઉપર આધારિત છે.

Related posts

અક્સર -૨ ફિલ્મમાં ઝરીન ખાન સેક્સી ભૂમિકામાં હશે

aapnugujarat

करण ने पोस्ट की ‘स्टूडेंट ऑफ द यर २’ की दोनों हिरोइनों की तस्वीर

aapnugujarat

દબંગ-૩ માં પણ કરીના કપૂર આઈટમ નંબર કરશે?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1