Aapnu Gujarat
ગુજરાત

કેશવાનથી ૯૮ લાખની ચોરી કેસમાં બેની કરાયેલ ધરપકડ

શહેરના એસજી હાઇવે પર રાજપથ કલબ પાસે ગયા મહિને સીએમએસ કંપનીની કેશવાનના ડ્રાઇવર દ્વારા કરાયેલી રૂ.૯૮ લાખની સનસનીખેજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં લૂંટની ઘટનાના ૨૨ દિવસ બાદ આખરે શહેર ક્રાઇમબ્રાંચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી બંને આરોપીઓને ઉત્તરપ્રદેશના વિસ્તારમાંથી આબાદ ઝડપી લીધા હતા. પોલીસે બંને આરોપીઓને અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરી હતી અને લૂંટની રકમની રિકવરી સહિત આ પ્રકરણમાં સંડોવાયેલા ફરાર અન્ય આરોપીઓ સહિતની બાબતોની તપાસ હાથ ધરી છે. લૂંટની આ ચકચારી ઘટનામાં ત્રણથી વધુ આરોપીઓ સંડોવાયેલા હોવાની માહિતી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. એસજી હાઇવે પર રાજપથ કલબ પાસે ગયા મહિને સીએમએસ કંપનીની કેશવાનના ડ્રાઇવર દ્વારા કરાયેલી રૂ.૯૮ લાખની સનસનીખેજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા એ ડિવીઝનની અધ્યક્ષતામાં ત્રણ જુદી જુદી ટીમો અને શહેર ક્રાઇમબ્રાંચની અલગ-અલગ છ સહિત કુલ દસ જેટલી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ પોલીસને આરોપીઓના લોકેશન વિશે કોઇ જ નક્કર માહિતી કે સગડ મળ્યા ન હતા. પોલીસે રીંગ રોડ પરના સીસીટીવી ફુટેજ મેળવી પૈસા મૂકેલી લોખંડની પેટી અને ગુનામાં વપરાયેલી બાઇકને લઇ તે દિશામાં પણ તપાસનો દોર આંરભી આરોપીઓને પકડવાની કવાયત તેજ કરી હતી. ગત તા.૨૪-૨-૨૦૧૮ના રોજ સીએમએસ કંપનીની કેશવાનનો ડ્રાઇવર સુધીર વાઘેલા તેના ગનમેન અને અન્ય બે કર્મચારીને ગઇ મોડી સાંજે ચામાં નશીલો પદાર્થ પીવડાવી બેભાન કરી પૈસા ભરેલી પેટી લઇ ફરાર થઇ ગયો હતો. મૂળ ઉત્તરપ્રદેશના ઇટાવાનો રહેવાસી ડ્રાઇવર સુધીર બપોરે ૨-૩૦ વાગ્યે એટીએમમાં પૈસા ભરવા માટે તેના ત્રણ સાથી કર્મચારીઓ ધવલ પાનવાલ, સિધ્ધાંત ચાવડા અને ગનમેન જિતેન્દ્રસિંહ ગુર્જરસિંહ તોમર સાથે નીકળ્યો હતો.
સુધીરે કોર્ટયાર્ડ મેરિયોટ હોટલ પાસે કેફી પદાર્થવાળી ચા તેના સાથી કર્મચારીઓને પીવડાવી હતી અને સાંજે સાત વાગતાં તેઓ રાજપથ કલબ પાસે એચડીએફસી બેંકના એટીએમમાં પૈસા ભરવા પહોંચ્યા હતા. પરંતુ કેફી દ્રવ્યની અસર થઇ હોવાના કારણે પેલા ત્રણ સાથી કર્મચારીઓ વાનમાં બેભાન થઇ ગયા હતા. બીજીબાજુ, ડ્રાઇવર સુધીર વાનમાં લોખંડની પેટીમાં રહેલી રોકડ રૂ.૯૮.૧૦ લાખ ચોરી તેના સાગરિતો સાથે બાઇક પર ફરાર થઇ ગયો હતો. રાત્રે દસ વાગ્યાની આસપાસ ત્રણેય કર્મચારીઓ ભાનમાં આવતાં તેમને સમગ્ર હકીકતનો ખ્યાલ આવી ગયો હતો, તેમણે તરત જ ૧૦૮ને બોલાવી તબીબી તપાસ કરાવી હતી અને બીજીબાજુ, પોલીસને પણ જાણ કરી દીધી હતી. કેશવાનની રૂ.૯૮ લાખની રોકડરકમની ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં મુખ્ય આરોપી એવા કેશવાનના ડ્રાઇવર સુધીર વાઘેલા સહિત ત્રણ આરોપીઓ હોવાનું ખૂલ્યુ હતું. આ ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના ઇટાવાના વતની હતા અને ચાંદખેડાના જનતાનગરમાં મકાન રાખીને સાથે જ રહેતા હતા અને સાથે જ મકાન ખાલી કરી અહીંથી નાસી ગયા હતા. તેથી ક્રાઇમબ્રાંચની એક ટીમે ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ધામા નાંખી બહુ ગુપ્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા. જેમાં આખરે રૂ.૯૮ લાખની લૂંટના ગુનાના બે આરોપીઓ ત્યાંથી ઝડપાઇ ગયા હતા.

Related posts

કોંગ્રેસના પ્રતાપ દુધાત તેમજ અમરીષ ૩ વર્ષ માટે સસ્પેન્ડ : નીતિન પટેલની દરખાસ્ત બાદ અધ્યક્ષનો મહત્વનો નિર્ણય

aapnugujarat

कालूपुर पुलिस थाने में कार्यरत महिला पुलिस कांस्टेबल ने आत्महत्या की

aapnugujarat

દિયોદર પોલીસ દ્વારા સઘન ચેકિંગ….

editor

Leave a Comment

UA-96247877-1