Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રજનીકાંતની ટીકા કરવામાં પાછી પાની નહીં કરૂ : કમલ હસન

મક્કલ નીધી મૈયમ નામના રાજકીય પક્ષની સ્થાપના કરનારા અભિનેતા કમલ હસનનું કહેવં છે કે તે તેના સાથી અભિનેતા અને રાજકારણમાં આવવાની જાહેરાત કરનારા રજનીકાંતની ટીકા કરવામાં પાછી પાની કરશે નહીં. જોકે, હસને સ્પષ્ટતા કરી હતી કે આ ટીકા ફક્તને ફક્ત રજનીકાંતના રાજકીય પક્ષ અને તેની નીતિઓની હશે વ્યક્તિગત નહીં. તામિલનાડુની એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન કમલ હસને આ વાત જણાવી હતી.હસને કહ્યું હતું કે રજનીકાંતને આવવા દો અને પક્ષની સ્થાપના અને તેના નામની જાહેરાત કરવા દો. હું પહેલાથી જ કહી ચૂક્યો છું કે મારા પક્ષની સૌથી મોટી નીતિ લોકોનું કલ્યાણ રહેશે.
રજનીને તેના પક્ષની જાહેરાત કરવા દો કેમ કે પ્રત્યેક વ્યક્તિ જાણવા ઈચ્છે છે તેના પક્ષની નીતિ શું હશે.તેમણે ઉમેર્યું હતું કે જો અમારા વચ્ચે કોઈ મતભેદો હશે તો હું ફક્તને ફક્ત તેના પક્ષની નીતિઓની ટીકા કરીશ પરંતુ વ્યક્તિગત ટીકાઓ નહીં કરૂ. આ અમારો રાજકીય મોભો રહેશે. નોંધનીય છે કે કમલ હસન અને રજનીકાંત વર્ષો એકબીજાના સારા મિત્રો છે.
પોતાનો રાજકીય પક્ષ સ્થાપતા પહેલા કમલ હસને ઘણા રાજકીય નેતાઓને બોલાવ્યા હતા અને રજનીકાંતને પણ બોલાવ્યા હતા.જો મને કંઈ ટીકા કરવા જેવું લાગશે તો હું મજબૂત રહીને તેની ટીકા કરીશ, તેમ જણાવતા કમલ હસને કહ્યું હતું કે જો તેનો પક્ષ સત્તામાં આવશે તો તે રોજગારી અને તમામ લોકોને એજ્યુકેશન મળે તેને પ્રાથમિકતા આપશે.

Related posts

સેંસેક્સમાં ૧૮૦ પોઇન્ટનો સુધારો

aapnugujarat

झारखंड-महाराष्ट्र में अपने चुनाव चिह्न का इस्तेमाल नहीं कर पाएगी JDU

aapnugujarat

જીએસટી કાઉન્સિલની બેઠક ૧૦ જાન્યુઆરીએ મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1