સિદ્ધાર્થ મલહોત્રાને બોલિવુડમાં સતત ફિલ્મો તો મળી રહી છે પરંતુ તે સ્ટુડન્ટ ઓફ ધ યર બાદ કોઇ પણ ફિલ્મમાં સફળતાનો સ્વાદ ચાખી શક્યો નથી. તે સફળતાને લઇને ઉત્સુક છે. જેન્ટલમેન, ઇત્તેફાક અને અય્યારીમાં તે હાલમાં નજરે પડ્યો છે. જો કે તે સફળ સાબિત થઇ રહ્યો નથી. હાલમાં તે કેપ્ટન બત્રાની બાયોપિક ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે તે આંશિકી-૩ ફિલ્મમાં કામ કરવા માટે જઇ રહ્યો છે. આ ફિલ્મ સુપરહિટ સિરીઝ આશિકીની શ્રેણીની છે. તેના અગાઉના બન્ને ભાગ સુપરહિટ રહ્યા બાદ હવે ત્રીજી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. મુળભૂત ફિલ્મમાં રાહુલ રોય અને અનુ અગ્રવાલ ચમક્યા હતા જે રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ત્યારબાદ આશિકી-૨ પણ જાદુ જગાવવામાં સફળ રહી હતી. તેમાં આદિત્ય અને શ્રદ્ધા કપુરની જોડી જામી હતી. હવે ત્રીજી ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. સિદ્ધાર્થ પ્રથમ વખત ભટ્ટ કેમ્પની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તે ફિલ્મને લઇને આશાવાદી છે. ફિલ્મમાં સિદ્ધાર્થની સાથે આલિયા ભટ્ટ કામ કરવા જઇ રહી છે. સિદ્ધાર્થ અને આલિયા પોતાના સંબંધોને લઇને પણ સમગ્ર બોલિવુડમાં ચર્ચામાં રહ્યા છે. સુત્રોનુ કહેવુ છે કે હવે બન્ને સાથે નથી. તેમની વચ્ચે બ્રેક અપની સ્થિતી થઇ ચુકી છે. એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે સિદ્ધાર્થ આલિયા સાથે કામ કરવા માટે તૈયાર નથી. સિદ્ધાર્થ આશિકી-૩ ફિલ્મમાં સાથે કામ કરે તેવી શક્યતા ઓછી છે. તેને મનાવવા માટેના તમામ પ્રયાસો થઇ રહ્યા છે.
આલિયા ભટ્ટ હાલમાં રણબીર કપુર સાથે દેખાઇ રહી છે. તેમની વચ્ચે સંબંધોને લઇને પણ ચર્ચા છે. જો કે બન્ને દ્વારા કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. સિદ્ધાર્થને પણ એક મજબુત ફિલ્મની જરૂર દેૅખાઇ રહી છે.
પાછલી પોસ્ટ