Aapnu Gujarat
બિઝનેસ

રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે

કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે ત્યારે બજેટમાં ક્યા ક્યા પગલા લેવામાં આવનાર છે તેના પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. બજેટમાં રોજગારીની વધુ તક ઉભી કરવાના મામલે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે બજેટ ઐતિહાસિક સાબિત થાય તેવી શક્યતા છે. બજેટમાં જવાનો, યુવાનો, ખેડુતો અને કર્મચારીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. નરેન્દ્ર મોદી સરકારે બજેટને લોકલક્ષી બનાવવા માટે તૈયારી કરી છે.નિષ્ણાંતો કહી રહ્યા છે કે નોટબંધી અને જીએસટી બાદ સામાન્ય લોકોની તકલીફને ઓછી કરવા અને વધારે રાહત આપવા માટે બજેટમાં ઇન્ડસ્ટ્રીઝ અને ખેડુતો પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. તેમની અપેક્ષાને પૂર્ણ કરવા માટે જુદા જુદા સેક્ટરોના પ્રતિનિધીઓ પોત પોતાની રજૂઆત કરી ચુક્યા છે. અગાઉ ક્યારેય નહી લેવામાં આવેલા પગલા હવે લેવાઇ રહ્યા છે. ગરીબ વર્ગને વધારે પ્રાથમિકતા બજેટમાં આપવામાં આવનાર છે. એક વર્ષમાં જન ધન યોજના હેઠળ રેકોર્ડ ૧૭ કરોડ બેંક ખાતાઓ ખોલી દેવામાં આવ્યા છે. ૧૨ કરોડ લોકોને ૧૨ રૂપિયાની ચુકવણી કરીને અકસ્માત માટે વીમા હેઠળ જોડી દેવામાં આવ્યા છે. ટેક્સ ટાઇલ, એન્જિનિયરિગ, મેન્યુફેકચરિંગ, પ્રોસેસિંગ, પંપ મોટર્સ સહિતના ક્ષેત્રો દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી ચુકી છે. સરકાર બજેટમાં મુખ્યરીતે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરનાર છે. એલપીજી સબસિડી છોડી દેવા પર પણ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે. દેશમાં સામાન્ય લોકો બજેટને લઇને ઉત્સુકત છે. સાથે સાથે સરકાર સામે કેટલીક તકલીફ પણ છે. કારણ કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવી ચુક્યો છે. આવી સ્થિતીમાં આ પાંચ રાજ્યો માટે કોઇ લોકલક્ષી યોજના નવી જાહેર કરી શકાશે નહી. જેથી સરકારને પણ બજેટ રજૂ કરતી વેળા વિવાદને ટાળવા માટે કેટલાક પગલા લેવા પડશે. હાલમાં ગુજરાતમાં ખુબ જ ઓછા અંતર સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત થયા બાદ ભાજપ સરકાર સાવધાન થઇ ગઇ છે. ગુજરાતમાં જીએસટી અને નોટબંધી બાદ તમામ લોકો અને ખાસ કરીને વેપારીઓ અને ખેડુતોમાં નારાજગી દેખાઇ રહી હતી. સાથે સાથે યુવાનો રોજગારીને લઇને પરેશાન દેખાઇ રહ્યા હતા. આવી સ્થિતીમાં વર્તમાન સરકારના અંતિમ બજેટમાં મોદી સરકાર તમામ વર્ગને પ્રભાવિત કરવાના ઇરાદા સાથે બજેટ રજૂ કરી શકે છે. બજેટ સત્ર દરમિયાન પણ સંકેત મળી શકે છે. રોજગારીને લઇને નિરાશાજનક ચિત્ર રહ્યુ છે. રોજગારીના મોરેચે સરકારને અનેક પહેલ કરવાની તાકીદની જરૂરીયાત દેખાઇ રહી છે. હાલની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીએ રોજગારી, જીએસટી અને નોટબંધીના કારણે પરેશાન થયેલા લોકોના મુદ્દે મોદી પર પ્રહારો કર્યા હતા.

Related posts

Zebronics launches vintage design in modern outlook, portable wireless speaker ‘Buddy’ for Rs.1699/-

aapnugujarat

નિકાસકારોને મદદરૂપ થવા માટે ૩૦૦૦૦ કરોડના ફંડ ઉપર ચર્ચા

aapnugujarat

ઝાયડસે કોવિડ-19ની દવાનો આજે પહેલો ડોઝ આપવામાં આવ્યો

editor

Leave a Comment

UA-96247877-1