રાજ્યનાં ગીર-સોમનાથ જિલ્લામાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. ભૂકંપનાં આચંકા મંગળવારની સાંજે ૬.૩૨ કલાકે અનુભવાયા છે. જેનાથી ડરીને લોકો ઘરથી બહાર નીકળી ગયા હતાં. ભૂકંપની રિએક્ટર સ્કેલ તીવ્રતા ૩.૭ માપવામાં આવી છે. આ ભૂકંપથી કોઇ પણ પ્રકારનાં નુક્સાનની માહિતી મળી નથી. ભૂકંપનું કેન્દ્ર તાલાલાથી ૧૩ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં કેન્દ્રબિંદુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં ભૂકંપના આચંકા આવ્યા હતાં. પ્રભાવિત વિસ્તારમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)