Aapnu Gujarat
ગુજરાત

હાટકેશ્વરમાં યુવાનની ઘાતકી હત્યા

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી હત્યા અને લૂંટના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા જતા બનાવો વચ્ચે હવે વધુ એક હત્યાનો મામલો સપાટી ઉપર આવ્યો છે. ઉત્તરાયણના દિવસે જ અસારવા વિસ્તારમાં બે લોકોની હત્યાનો મામલો હજુ શાંત થયો નથી ત્યારે હાટકેશ્વરમાં યુવાનની હત્યા કરાતા સનસનાટી મચી ગઈ છે. મળેલી માહિતી મુજબ અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા એક યુવાનની ચપ્પાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. વણઓળખાયેલા શખ્સો યુવકને ઘરેથી બોલાવીને અન્યત્ર લઇ ગયા હતા. ત્યારબાદ તેની ઘાતકી હત્યા કરાઈ હોવાની વિગત પ્રાથમિક તપાસમાં ખુલી છે. ખોખરા વિસ્તારમાં આવેલા કાશીબાનગરમાં રહેતા ગૌરાંગ રતિલાલ મકવાણાની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ગૌરાંગ અહીં પોતાના માતા-પિતા અને બે ભાઈ સાથે રહેતો હતો અને ત્રણ દિવસ પહેલા જ નોકરીમાં જોડાયો હતો. ગૌરાંગે એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ છુટાછેડા આપી દીધા હતા. આજે સવારે કેટલાક લોકો તેને ઘરે બોલાવવા માટે આવ્યા હતા. ત્યારબાદ હાટકેશ્વર સર્કલ પાસે આવેલી ચાની કિટલી પર ગયો હતો. ત્યાં સામાન્ય બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી થયા બાદ ગૌરાંગ ઉપર ચપ્પાના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. ગૌરાંગને ચપ્પાના ઘા વાગ્યા બાદ એલજીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. એલજીમાં તેનું સારવાર દરમિયાન મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ખોખરા પોલીસે આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફુટેજ કબજે કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. હાલમાં હત્યાના બનાવોમાં વધારો થયો છે.

Related posts

પંચમહાલ જિલ્લામાં સુશાસન દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી

editor

ઉનાના પતાપર ગામે ખેડૂતલક્ષી રાત્રી સભા યોજાઈ,જંતુનાશક દવાને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું

aapnugujarat

ડાકોર : લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1