Aapnu Gujarat
મનોરંજન

‘કેદારનાથ’ફિલ્મને શાહરૂખની ફિલ્મ સાથે રજૂ કરી શકાય

કેદારનાથ ફિલ્મ શાહરૂખની ફિલ્મ સાથે ટકરાય તેવી શક્યતા દેખાઇ રહી છે.કાણ કે બન્ને ફિલ્મોને સાથે રજૂ કરવાની તૈયારી ફિલ્મના નિર્માતા નિર્દેશકો દ્વારા કરવામા ંઆવી રહી છે. બન્ને ફિલ્મો મોટી ફિલ્મ હોવાના કારણે પોત પોતાની ફિલ્મના નિર્માતા નિર્દેશકો જોરદાર દેખાક કરવા માટે ઇચ્છુક છે. લાંબા સમયથી સેફ અલી ખાનની પુત્રી સારા ખાનની ફિલ્મની રજૂઆતને લઇને ચર્ચા ચાલી રહી હતી. ફિલ્મ ક્યારેય રજૂ થશે તેની ચર્ચા હતી. આખરે ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ફિલ્મના નિર્માતા અભિષેક કપુર તેની રજૂઆતની તારીખને લઇને હવે સજ્જ થઇ ચુક્યા છે. અભિષેકે જાહેરાત કરતા કહ્યુ છે કે ફિલ્મ ૨૧મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. રસપ્રદ બાબત એ છે કે તેની રજૂઆતની તારીખ આનંદ રાયની ફિલ્મની તારીખ સાથે રાખવામા આવી છે. આનંદ રાયની ફિલ્મમાં શાહરૂખ ખાન કામ કરી રહ્યો છે. આ ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામા આવ્યુ નથી. જેમાં શાહરૂખ ખાન અનુષ્કા શર્મા સાથે નજરે પડનાર છે. ચાહકોને પણ આ ફિલ્મની રજૂઆતને લઇને ઉત્સુકતા છે. આ ફિલ્મ પણ આગામી વર્ષે ડિસેમ્બર મહિનામાં જ રજૂ કરવામાં આવી શકે છે.  કેદારનાથ એક પ્રેમ કથા પર આધારિત ફિલ્મ છે. જેના બેક ગ્રાઉન્ડમાં એક તીર્થ સ્થળ છે. ફિલ્મમાં સારા ખાન ટ્યુરિસ્ટ તરીકે છે અને સુશાતસિંહ રાજપુત ટ્યુરિસ્ટ ગાઇડ તરીકે નજરે પડનાર છે. પહેલા એમ માનવમા આવી રહ્યુુ કે ફિલ્મ ન ટકરાય તે માટે કેદારનાથને મોડથી રજૂ કરવામાં આવ શકે છે. જો કે જાણીતા લોકપ્રિય ફિલ્મના નિર્માતા નિર્દેશકોએ તારીખમાં ફેરફાર કરવાનો ઇન્કાર કર્યો છે.

Related posts

શિલ્પાએ સુનીલ સાથે કામ કરવાની પાડી ના

editor

સિદ્ધાર્થ વગર હવે હું કેવી રીતે જીવીશ : શહનાઝ

editor

પહેલીવાર વીલન બનીશ એ વિચારે ઉત્તેજિત છું : નીમરત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1