Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાનપુરમાં પત્રકાર નવીન ગુપ્તાની ગોળીઓ ધરબી દઈને હત્યા

હિન્દી દૈનિક હિન્દુસ્તાનમાં આઠ વર્ષ ઉપરાંતથી ફરજ બજાવી રહેલા પત્રકાર નવીન ગુપ્તાની અજાણ્યા ઇસમોએ ગોળી મારી હત્યા કરી હતી. કાનપુરથી લગભગ ૬૦ કિમી દૂર આવેલા ભીલૌર ગામ પાસે નગરપાલિકા બજાર પાસે સાંજનાં સમયે તેને ગોળીઓ ધરબી દેવામાં આવી. ત્રણથી ચાર અજાણ્યા ઇસમોએ જયારે નવીન ગુપ્તા તેની હોઝીયરીની દુકાનેથી બહાર આવી રહ્યો હતો ત્યારે જ તેના પર હુમલો કર્યો હતો.
હુમલા બાદ તરત જ તેમણે નજીકની હોસ્પીટલે સારવારાર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ હુમલાની તપાસાર્થે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક અસરથી આરોપીઓને ઝડપી લેવા માટે પોતાની ટીમને આદેશ આપ્યા હતા. હજી સુધી હત્યાનું કોઈ કારણ બહાર આવ્યું નથી.સીએમ યોગી આદિત્યનાથે ત્યાના ડીજીપીને અંગત રીતે આ કેસમાં ધ્યાન આપી જેટલું બને એટલું જલ્દી આ હત્યાના મૂળ કારણ સુધી પહોચી આરોપીઓને પકડી પાડવા માટે જણાવ્યું હતું. આ કેસના ઉકેલ માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી છે.

Related posts

અતીક અહેમદના પરિવારના કોઈ સભ્યને બસપા ટિકિટ નહીં આપે : MAYAWATI

aapnugujarat

દેશમાં કાળાબજાર થઇ રહ્યા છે : સુપ્રીમ

editor

રાજ્યસભામાં બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધની ભાજપ સાંસદની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1