Aapnu Gujarat
Uncategorized

ભાજપ રાજમાં આતંકવાદ વકર્યો : ગુલામ નબી આઝાદ

રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસી નેતા ગુલાબનબી આઝાદે કહ્યું હતું કે આ લડાઈ જનતા અને ભાજપ વચ્ચેની છે. સરકારે એવાં પગલાં લીધાં છે કે લોકોનો મોહભંગ થઈ ગયો છે. બધું ખતમ થઈ ગયું. ભાજપ સરકાર પાસે કોઈ યોજનાઓ જ નથી. તે કોંગ્રેસની યુપીએ સરકારની યોજનાઓને પોતાના નામે ચડાવી આપે છે. તે જૂની સ્કીમોને નવું નામ ભાજપ આપે છે.
છેલ્લા ત્રણ વર્ષથી ભાજપ કોઈ નવી સ્કીમ ભાજપ લાવી નથી. આ સરકાર નિષ્ફળ નિવડી છે. જીએસટીના કારણે બધું જ ખતમ થઈ ગયું.તેમણે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. તેમના શાસનમાં વધું આતંકવાદી હુમલાઓ થયાં છે. ગાંધીનગર હુમલો, સંસદ પર હુમલો, પઠાણકોટ હુમલા થયા છે. આમછતાં પીએમ મોદી તો નવાઝ શરીફને ત્યાં લગ્નમાં પણ જાય છે.રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ જીતશે અને સીએમ રૂપાણીને હરાવશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

Related posts

ભાવનગર રેલવે મંડલ પર ગણતંત્ર દિવસ સંપૂર્ણ ઉત્સાહથી ઉજવાયો

editor

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતિ ઉજવાઈ

aapnugujarat

ભાવનગરમાં વિદ્યાર્થી ગાંજા સાથે ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1