Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપનાં ટોપ નેતાઓને ટાર્ગેટ બનાવવા જૈશે મહોમ્મદે ટીમ બનાવી

પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદના પ્રમુખ મસુદ અઝહર ભારતના કેટલાક ટોપ નેતાઓને ટાર્ગેટ બનાવવા માટે ઇચ્છુક છે. જેમાં કેટલાક વરિષ્ઠ પ્રધાનોનો સમાવેશ થાય છે.  જેશે દ્વારા હુમલાના મિશનને અંજામ આપવા માટે ત્રાસવાદીઓની એક ખતરનાક ટીમ બનાવી છે. તપાસ સંસ્થાઆ તમામ ઇનપુટ અંગે માહિતી એકત્રિત કરી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ગયા સપ્તાહમાં ઇન્ટેલિજન્સ મીટિંગમાં આ ઇનપુટ અંગે તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત કરવામાં આવી હતી. શરૂઆતી માહિતી મળી છે કે આ મિશન માટે જેશે મોહમ્મદ અને લશ્કરે તોયબાના ત્રાસવાદીઓ ભેગા થઇ રહ્યા છે. બન્ને ત્રાસવાદી સંગઠન હુમલા કરવા માટે ઘાતક ચીજવસ્તુઓ એકત્રિત કરવા માટે બાંગ્લાદેશ સ્થિત કેડરનો ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતની પણ માહિતી મળી છે કે જે ત્રાસવાદીઓને આ કામગારી સોંપવામાં આવી છે તેમાં કેટલાક તો સરહદની અંદર પણ ઘુસી ચુક્યા છે. ત્રાસવાદીઓ વચ્ચે વાતચીત પકડી પાડીને માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ત્રાસવાદીઓ એક મુખ્યપ્રધાનને પણ ટાર્ગેટ બનાવવા તૈયારી કરી રહ્યા છે. જેમની સુરક્ષા વધારે મજબુત રાખવામાં આવી રહી નથી. જો કે અહેવાલને હજુ સુધી સમર્થન મળ્યુ નથી. એક વિદેશી ગુપ્તચર સંસ્થા ઢાકાની પાસે એ ગુપ્ત સ્થળની મુલાકાત લઇ ચુકી છે જો કે ત્યાં તેમને કોઇ નક્કર પુરવા મળ્યા નથી. સુત્રોએ કહ્યુ છે કે જેશના ટોપ ત્રાસવાદી અઝહર પર કાર્યવાહી અને આ મહિનામાં જ તેમના ભત્રીજાના મોત બાદ ત્રાસવાદીઓ બદલો લેવા માટેની તૈયારી કરી રહ્યા છે. ત્રાસવાદીઓ હાલમાં કેટલાક નવા મિશન પર કામ કરી રહ્યા છે.

Related posts

૨૦૧૯માં ભાજપને હરાવીને જ બતાવીશું : દિલ્હીમાં રાજઘાટ ઉપર ઉપવાસ બાદ નિવેદન

aapnugujarat

मुंबईः परेल रेलवे स्टेशन के फुटओवर फ्रिज पर भगदड, २२ की अधिक मौत

aapnugujarat

आजम खान ने रमा देवी पर अभद्र टिप्पणी के मामले में मांगी माफी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1