રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. તો આગામી ૨૭મી નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાતમાં રેલીને ધમરોળવાનું શરૂ કરશે.
૨૭મી નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ભુજ, અમરેલી, વાપી, કામરેજ તો ૨૯ નવેમ્બરના રોજ નવસારી, ભરૂચ, જૂનાગઢ અને ભાવનગરમાં રેલીને સંબોધિત કરશે. તો ત્રીજી ડિસેમ્બરના રોજ તાલાળા, મોરબી અને અમદાવાદમાં જનસભાને સંબોધશે. આ ઉપરાંત તેઓ ચોથી ડિસેમ્બરે સુરેન્દ્રનગર, પાલિતાણા અને જામનગરમાં રેલીને સંબોધિત કરશે. પીએમ મોદીની રેલી પહેલા ભાજપ દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.