રાહુલ ગાંધીના અધ્યક્ષ બનવાની વાત પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસને પ્રાઈવેટ લિમિટેડ પાર્ટી ગણાવી છે.
કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ પદની ચૂંટણી અને રાહુલનું કોંગ્રેસ અધ્યક્ષ બનવાની વાતો બાબતે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું કહેવુ છે કે દેશના લોકોએ રાહુલ ગાંધીને ગત ૧૦ વર્ષ યુપીએ સરકાર દરમિયાન જોયા છે. રાહુલ ગાંધીના અધ્યક્ષ બનવાથી કોઈ ફરક પડશે નહીં. કોંગ્રેસ પાર્ટી પ્રાઈવેટ લિમિટેડ પાર્ટી છે. જેથી રાહુલ ગાંધીને જ અધ્યક્ષ બનવાનુ છે બીજુ તો કોઈ બની શકશે નહીં.
ગિરિરાજે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ કે આ કોઈ કોંગ્રેસ પાર્ટી નથી. આ તો નકલી ગાંધી કોંગ્રેસ પાર્ટી છે. આ પ્રાઈવેટ લિમિટેડ કંપની છે.પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં જે પરંપરા ચાલી રહી છે. તેવી જ પરંપરાનો અમલ થશે. કોની હિમ્મત છે તે વિરોધ કરે. પ્રાઈવેટ લિમિટેડ કંપનીના રાહુલ ગાંધી ડેપ્યુટી ચેરમેન છે. હવે ચેરમેન બની જશે.ગિરિરાજે કહ્યુ કે રાહુલ રાત્રે કલાવતીના ઘરે જઈને ગરીબી જુએ છે. દેશ વિશે કેવી રીતે જાણી શકશે. દેશનું ભૂગોળ તો ખબર નથી. દેશના ઈતિહાસની જાણ નથી. ના તો દેશની ગરીબી વિશે જાણકારી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ