Aapnu Gujarat
મનોરંજન

હજુ અભિનેત્રી માટે કોમિક રોલ વધારે નથી : પરિણિતી

બોલિવુડમાં યુવા પેઢીની લોકપ્રિય અભિનેત્રી પરિણિતી ચોપડા નક્કરપણે માને છે કે બોલિવુડની ફિલ્મોમાં અભિનેત્રીઓ માટે કોમેડી રોલ ખુબ ઓછા લખવામાં આવે છે. વિતેલા વર્ષોમાં અભિનેત્રીઓ માટે સારા રોલ લખવામાં આવતા હતા. જો કે હવે અભિનેત્રી માટે આ પ્રકારના રોલ લખાતા નથી. તેનુ કહેવુ છે કે વર્ષો બાદ રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેઇન કરીને તે ખુબ ખુશ છે. કોમેડી ફિલ્મ તમામ લોકોને પસંદ પડે છે. આવી સ્થિતીમાં અભિનેત્રીઓ માટે કોમેડી રોલ લખવામાં આવે તેમ તે પોતાની રીતે માને છે. ૨૮ વર્ષીય પરિણિતી હાલમાં રોહિત શેટ્ટીની ફિલ્મને લઇને ખુશ છે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગનની ભૂમિકા છે. તેનુ કહેવુ છે કે વિતેલા વર્ષોમાં હેમા માલિની, શ્રીદેવી, જુહી ચાવલા, કરિશ્મા કપુર અને અન્ય કેટલીક અભિનેત્રી સારી કોમેડી ફિલ્મો કરી ચુકી છે. જો કે આજે કોમેડી ફિલ્મ અને રોલના અભાવ દેખાઇ રહ્યા છે. ગોલમાલ તરીકેની સિરિઝમાં તક મળતા તે કહે છે કે આના માટે તે રોહિત શેટ્ટીનો આભાર માને છે. તેની સ્ટોરી અને કોમેડીના કારણે આ સિરિઝની ફિલ્મો પહેલાથી જ લોકપ્રિય છે. જો કે આ ફિલ્મ અગાઉની ગોલમાલ કરતા થોડીક અલગ છે. પ્રથમ વખત પરિણિતી ચોપડા અજય દેવગનની સાથે જોડી જમાવી રહી છે. પરિણિતી પાસે અન્ય કેટલીક સારી ફિલ્મો પણ છે. જેમા ંતે સુશાંત રાજપુતની સાથે રણ કામ કરી રહી છે. પરિણિતી ચોપડા માને છે કે તેની બહેન પ્રિયંકા ચોપડા બોલિવુડના કલાકારો માટે હવે ગર્વ સમાન બની ગઇ છે. તે હોલિવુડ ફિલ્મો અને અમેરિકી સિરીઝમાં પણ લોકપ્રિય રહી છે. પરિણિતી ચોપડા કહે છે કે અજય દેવગન જેવા સુપરસ્ટાર સાથે કામ કરીને તે ખુબ ખુશ છે.

Related posts

મહેશ બાબુએ બોલિવૂડમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી

aapnugujarat

कंगना ने सरकार के निर्णय को ऐतिहासिक कदम बताया

aapnugujarat

મે હુના ફિલ્મની સિક્વલની કોઇ યોજના હાલમાં નથી : ફરાહ ખાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1