Aapnu Gujarat
મનોરંજન

સગાવાદનો ક્યારેય સામનો કર્યો જ નથી : અનુષ્કા શર્મા

બોલિવુડમાં ભાઇ ભત્રીજાવાદને લઇને હાલમાં છેડાયેલા વિવાદમાં અભિનેત્રી અનુષ્કા શર્મા પણ કુદી પડી છે. અનુષ્કા શર્માએ પોતાની ટિપ્પણી કરતા કહ્યુ છે તે તેને તેના એક દશક લાંબી કેરિયરમાં ક્યારેય ભાઇ ભત્રીજાવાદ અથવા તો સગાવાદની સ્થિતીનો સામનો કરવો પડ્યો નથી. તેનુ કહેવુ છે કે તેને બહારની હોવા છતાં આવા અનુભવ થયા નથી. હાલમાં આ મુદ્દે કરણ જોહર અને કંગના રાણાવત વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. કંગના રાણાવતે આ મુદ્દો છેડી દીધા બાદ હવે તકલીફ વધી રહી છે. વરૂણ ધવન સહિતના કેટલાક કલાકારોએ પણ પોતાની પ્રતિક્રિયા આ મામલે આપી છે. તેમના ટોક શો વેળા આ મુદ્દો સપાટી પર આવ્યો હતો. વર્ષ ૨૦૦૮માં બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલી અનુષ્કા શર્માએ કહ્યુ છે કે બોલિવુડમાં કુશળતા ધરાવનાર તમામ લોકોનુ સ્વાગત છે. આદિત્ય ચોપડાની રબને બના દી જોડી ફિલ્મ સાથે અનુષ્કાએ બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી છે પરંતુ આવી સ્થિતી તેની સામે આવી નથી. ૨૮ વર્ષીય અભિનેત્રી છેલ્લે શાહરૂખ ખાનની સાથે ફિલ્મમાં નજરે પડી હતી. શાહરૂખ સાથે તે પહેલા પણ કેટલીક ફિલ્મમાં કામ કરી ચુકી છે.
અનુષ્કા શર્મા બોલિવુડમાં પોતાની સ્થિતી મજબુત બનાવી ચુકી છે. સાથે સાથે તે પોતાના પ્રોડક્શન હેઠળ પણ ફિલ્મ બનાવી રહી છે. વિરાટ સાથે સંબંધના લીધે પણ તે લોકપ્રિય છે. બોલિવુડની સાથે સાથે ક્રિકેટ ચાહકોમાં પણ વિરાટ કોહલી સાથે તે નજરે પડે છે જેથી તેની ચર્ચા જોવા મળે છે.

Related posts

સની દેઓલ ભાજપમાં જોડાયા

aapnugujarat

‘પદમાવતી’ ૨૦૧૮માં ફ્રેબુઆરીમાં રિલીઝ થશે

aapnugujarat

मैं हर रोज गोमूत्र का सेवन करता हूं : अक्षय

editor

Leave a Comment

UA-96247877-1