Aapnu Gujarat
ગુજરાત

આઠ મહાનગરોમાં ૨૦ ઓકટોબર પહેલાં રસ્તાના ખાડા પૂરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની તાકીદ

ગુજરાતના આઠ મહાનગરોમાં આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદથી શહેરી માર્ગોને થયેલા નૂકશાનની યુદ્ધના ધોરણે મરામત કામગીરી ર૦ ઓકટોબર સુધીમાં પૂર્ણ કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાકીદ કરી છે. મુખ્યપ્રધાને નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યના આઠેય મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૂરત, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરના મેયર-સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સ બેઠક યોજી મહાનગરોની માર્ગોની સ્થિતિ અને થઇ રહેલા મરામત કામોનો જાયજો મેળવ્યો હતો.વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સારા રસ્તા, સારી સ્વચ્છતા, સારી વ્યવસ્થાની જે આગવી છાપ જનમાનસમાં છે તે સતત જળવાઇ રહે અને નગરજનોને રસ્તા માર્ગોની મરામત, પેચવર્ક, રિપેરીંગ થઇ રહ્યા છે તેની સતત અને પ્રત્યક્ષ અનૂભુતિ થાય તે રીતે તંત્રવાહકો આપત્તિને અવસરમાં પલટાવી કાર્યરત થાય તેવો અનુરોધ કર્યો હતો. આ સંદર્ભમાં મુખ્યપ્રધાને સાફ શબ્દોમાં જણાવ્યું કે, માર્ગો મરામતના કામો સમયસર અને ગુણવત્તાયુકત પૂર્ણ થાય તે અતિ આવશ્યક છે. ગુણવત્તા પ્રત્યે નિષ્કાળજી-બેદરકારી દાખવનારા ઇજનેરો-અધિકારીઓની જવાબદારી ફિકસ કરી તેમની સામે યોગ્ય પગલાં લેવાશે.મુખ્યપ્રધાને મ્યુનિસિપલ કમિશનરો, નાયબ કમિશનરો અને ઉચ્ચ અધિકારીઓને પણ આવા મરામત કામોની સ્થળ મૂલાકાત લઇને જાતે નિરીક્ષણ કરવા તાકીદ કરી હતી. મહાનગરોનાં માર્ગોમાં થયેલા ખાડા ૧૦ દિવસમાં પેચવર્ક, રિસરફેસથી પૂરીને પૂર્વવત સ્થિતિ લાવવાની તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. શહેરી માર્ગો, સોસાયટીના રસ્તાઓ ત્વરાએ મરામત માટે વોર્ડ વાઇઝ કોર્પોરેટરો અને મહાપાલિકાના અધિકારીઓ સાથે બેસીને નૂકશાન પામેલા માર્ગોનું પ્રાયોરિટી લિસ્ટીંગ તથા થઇ રહેલા કામોની પ્રગતિની સમીક્ષા નિયમીત પણે કરે તેવી સૂચના આપી હતી. વિજયભાઇ રૂપાણીએ રોજબરોજની આવી મરામત કામગીરીનો અહેવાલ શહેરી વિકાસ અગ્રસચિવને પહોચાડતા રહેવા પણ મ્યુ. કમિશનરોને સૂચન કર્યુ હતું.
નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે ચૂંટાયેલા પદાધિકારીઓ પણ પોતાના વોર્ડ, વિસ્તારના માર્ગોના મરામત કામોના સ્થળે જઇને કામગીરી નિરીક્ષણ કરે તેમ મેયરો-સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષોને સૂચવ્યું હતું. આગામી દિવાળી પહેલાં નગરોના રસ્તા, સોસાયટી, ગલી-કૂચીના માર્ગો પણ પેચવર્ક, રિસરફેસ અને રિપેરીંગથી પહેલાં જેવા જ બની જાય તેની તકેદારી રાખે તેમ તેમણે ઉમેર્યુ હતું.

Related posts

ગોધરા જિલ્લા કલેકટરનો વિદાય સમારંભ યોજાયો

editor

વિરમગામમાં જલારામ બાપાના ૨૧૮માં જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

aapnugujarat

पाटीदार नेता हार्दिक के साथी चिराग पटेल के खिलाफ राजद्रोह के मामले में गैर जमानती वारंट जारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1