ઉત્તરપ્રદેશના ગાજિયાબાદના ખોડા વિસ્તારમાં શનિવારે ધોળા દિવસે બે બીજેપી નેતાઓની ગોળી મારી હત્યા કરી દેવાઇ. જેમાંથી એકનું મોત થયું છે જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ પણ હુમલાખોરોની શોધખોળ કરી રહ્યું છે.
મૃતક બીજેપી નેતાનું નામ ગજેન્દ્ર ભાટી હતું. ગજેન્દ્ર ઘણાં સમયથી બીજેપી સાથે જોડાયેલ હતાં. હુમલામાં ગંભીર રીતે ઘાયલ બલવીર ચૌહાણ બીજેપીનાં મંડળ અધ્યક્ષ છે.
જાણકારી અનુસાર શનિવારે બપોરે એક વાગ્યાની આસપાસ હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલાખોરો બાઇક પર સવાર થઇને આવ્યા હતાં. બંને નેતાઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યા બાદ મોકો જોઇને હુમલાખોરો નાસી છૂટ્યાં હતાં.
ઘાયલ નેતાઓને તુરંત નજીકની આસપાસની હોસ્પિટલમાં લઇ જવાયા.પોલીસે નાકાબંધી કરીને આ બદમાશોની તપાસ હાથ ધરવાની શરૂ કરી દીધી છે. ધોળાદિવસે ફાયરિંગવાળા વિસ્તારમાં દહેશતનો માહોલ ઊભો થઇ ગયો છે અને હવે પોલીસ ઘટનાસ્થળની આસપાસ લાગેલ સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી રહી છે.