Aapnu Gujarat
મનોરંજન

બાયોપીકમાં હવે સંજય દત્તની લાઇફને યોગ્ય રીતે રજૂ કરાશે

રાજકુમાર હિરાની દ્વારા બનાવવામાં આવી રહેલી અભિનેતા સંજય દત્તની લાઇફ ઉપર આધારિત ફિલ્મ દત્તને લઇને અભિનેતા રણબીર કપૂરે કહ્યું છે કે, આ ફિલ્મ કોઇ કાલ્પનિક ફિલ્મ નથી. પ્રચાર કરવાના હેતુસર ફિલ્મ બનાવવામાંઆવી રહી નથી. સંજય દત્તની લાઇફ ઉપર આધારિત આ એક વાસ્તવિક ફિલ્મ છે જેમાં વાસ્તવિક બાબતોને દર્શાવવામાં આવશે. રણબીર કપૂર આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકામાં નજરે પડી રહ્યો છે. રણબીરનું કહેવું છે કે, બોલીવુડની બાયોપિક ફિલ્મો મોટાભાગે વિષયના નકારાત્મક પાસાઓથી દૂર રહે છે પરંતુ આ ફિલ્મમાં નકારાત્મક પાસાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. ચાહકોને સંજય દત્ત હકીકતમાં શું હતો અને તેની લાઇફ શું હતી તે બાબત દર્શાવવાના પ્રયાસ કરવામાં આવશે. સંજય દત્તની ચોક્કસ ઇમેજના સંદર્ભમાં માહિતી આપવામાં આવશે. તેની ઇમેજ કેટલાક અંશે બદનામી વાળી રહી છે પરંતુ ફિલ્મમાં જે કંઇ પણ દર્શાવવામાં આવશે તે તમામ બાબતો વાસ્તવિકતા ઉપર આધારિત રહેશે. ઇમાનદારીપૂર્વક આ ફિલ્મને બનાવવામાં આવી રહી છે. અમે એક ફિલ્મ બનાવી રહ્યા છે. હકારાત્મક પાસાઓ ઉપર પ્રકાશ ફેંકવામાં આવનાર છે. સ્ટોરી તરીકે રોલને લઇને પહેલા તે ખુબ જ ભયભીત હતો પરંતુ સંજય દત્તની સ્ટોરી સાંભળ્યા બાદ તે કામ કરવા તૈયાર થયો હતો. સંજય દત્તે પોતે પોતાની લાઇફ ઉપર આધારિત ફિલ્મમાં કોઇ મોટા ફેરફાર ન કરવા કહ્યું હતું જેથી તે પોતે પણ હવે હિંમતમાં આવી ગયો છે. મુન્નાભાઈ ફિલ્મની બે ફિલ્મો રાજકુમાર હિરાની સંજય દત્તને લઇને બનાવી ચુક્યા છે. ત્રીજો ભાગ પણ ટુંક સમયમાં બનાવાશે

Related posts

અભિષેક બચ્ચને ઐશ્વર્યાને સમજદાર ગણાવી

editor

SSR Case बोले पवार : CBI जांच का विरोध नहीं, मगर मुंबई पुलिस पर पूरा भरोसा

editor

જોલી એલએલબી-૩ ફિલ્મ બનાવવા માટે જાહેરાત થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1