ધોળકા તાલુકાનાં રનોડા ગામ ખાતે જન્મી પાટણનાં સહસ્ત્રલીંગ તળાવમાં પરમાર્થ કાજે પોતાની જાતનું બલિદાન આપનાર બત્રીસ લક્ષણા પૂર્ણ પુરુષ મહાવીર મેઘમાયા દાદાનો ૯૨૯મો જન્મોત્સવ તા. ૩૦મી ઓગસ્ટે(ભાદરવા સુદ નોમ) મનાવવામાં આવાશે.
૩૦ ઓગસ્ટે જે સમારંભ થવાનો છે તેમાં રમણલાલ વોરા (અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા) મુખ્ય અધ્યક્ષ તરીકે પધારશે. સમારંભના ઉદ્ઘાટક તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા (મંત્રીશ્રી મહેસુલ, શિક્ષણ, ઉચ્ચ અને ટેકનીકલ વૈધાનીક અને સંસદીય બાબતો) પધારશે. મહામંડલેશ્વર ૧૦૦૮, પ.પૂ.મહંતશ્રી શંભુનાથ ટુંડીયા (મહંતશ્રી સવગુણ મંદિર, ઝાંઝરકા તથા અધ્યક્ષશ્રી વીરમેઘમાયા ફાઉન્ડેશન, ગુજરાત) આ પ્રસંગે આર્શીવચન આપશે.
આ જન્મોત્સવ કાર્યક્રમમાં સંતો પણ પધરામણી કરનાર છે જેમાં પ.પૂ.મહાત્યાગીજી પાગલબાપુ (શાંતિ આશ્રમ, ભીલાપુર), પ.પૂ.ઉગમશી બાપુ (શ્રી જોધલપીર મંદિર, કેસરડી), પ.પૂ.લાલદાસજી બાપુ (જોધલવંશી, ધોળકા), પ.પૂ.ઈશ્વરદાસજી બાપુ (ઉગમફોજ, ધોળકા), પ.પૂ.દિનેશદાસજી બાપુ (અમદાવાદ), પ.પૂ.ખોડીદાસ ભગત (મહંતશ્રી મહાવીર મેઘમાયાદાદા જન્મભૂમિ સ્મૃતિ મંદિર, રનોડા) કાર્યક્રમમાં હાજરી આપશે.
આ જન્મોત્સવ કાર્યક્રમમાં વિશેષ આમંત્રિતો તરીકે ડૉ. કિરીટ સોલંકી (સંસદ સભ્ય, અમદાવાદ), રતિલાલ વર્મા (પૂર્વ સાંસદ), ઝવેરભાઈ ચાવડા (પૂર્વ ચેરમેન અનુ. જાતિ નિગમ), કાંતિભાઈ આર. લકુમ (પૂર્વ ધારાસભ્ય) ખાસ હાજર રહેશે.
આગળની પોસ્ટ