ગુજરાતનાં વન અને આદિજાતિ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીનાં હસ્તે તા. ૧૫ મી ઓગષ્ટ, ૨૦૧૭ ને મંગળવારના રોજ સવારે ૯=૦૦ કલાકે નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકા મથકે નવરચના હાઇસ્કુલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની થનારી જિલ્લાકક્ષાની ઉજવણીમાં ધ્વજવંદન યોજાશે, જેમાં જિલ્લાવાસીઓને મોટી સંખ્યામાં ભાગ લેવા નર્મદા જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું છે.