કૉંગ્રેસને સમર્થન આપવું એટલે ગુલામ બનાવવાનું સ્વાતંત્ર્ય
કૉંગ્રેસે ઉભા કરેલા આ ધુમ્મસમાંથી બને તેટલાં જલદી તે બહાર નીકળી જાય અને સમજે છે કે જ્યાં સુધી આઝાદી ખાતરીપૂર્વક સહુની નહીં બને ત્યાં સુધી હિંદમાં લોકશાહી અને સ્વરાજ્ય સાચા અર્થમાં સ્થપાવાની નથી તે તેમને માટે અને હિંદના લોકો માટે બહેતર છે પણ હકીકતો અને હેતુો સાથેનો તેનો સંબંધ તપાસ્યા વિના માત્ર ખાલી સૂત્રને આધારે તેઓ જો કૉંગ્રેસને તેમનું આંધળું સમર્થન આપવાનું ચાલુ રાખશે તો હું એમ કહેતા અચકાઈશ નહીં કે હિંદના મિત્રો હોવાના બદલે તેઓ હિંદી જનતાની આઝાદી સામેનું નક્કર જોખમ છે. અંકુશમાં રખાયેલો એક આપખુદ પોતાનો દમનનો અધિકાર પાછો મેળવવા આઝાદીની બૂમો પાડે અને દલિત વર્ગ આ આપખુદના દામનમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે તે કિસ્સાનો ભેદ તે સમજતા નથી તે દયાજનક સ્થિતિ છે હિંદને આઝાદી અપાવવાની તેમની ઉતાવળમાં તેમને એટલુંય સમજવાની ફુરસદ નથી કે કૉંગ્રેસનો પક્ષ લઈને તે એવું પગલું ભરી રહ્યા છે જે હિંદની લોકશાહીને સલામત નહીં બનાવે પણ જે આપખુદને પોતાની ક્રુરતા અજમાવવામાં સહાય કરશે તેમને તે કહેવાની જરૂર ખરી કે કૉંગ્રેસને સમર્થન આપવું એટલે ક્રુરતાને ગુલામ બનાવવાનું સ્વાતંત્ર્ય આપવું ?
(સાભાર : ડૉ. બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહગ્રંથ-૧૬, પૂર્વોક્ત)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ