લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટો દાવ ખેલ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના અમલીકરણ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. અગાઉ એવી પણ ચર્ચા થઈ હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય CAAને લઈને મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે તેમની રેલીઓમાં ઘણી વખત CAAના અમલીકરણની વાત કરી છે. નોટિફિકેશન જાહેર થયા બાદ 11 માર્ચ એટલે કે આજથી દેશભરમાં CAA કાયદો લાગુ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે દેશની સંસદ દ્વારા CAAને પસાર થયાને પાંચ વર્ષ થઈ ગયા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2024 તરીકે ઓળખાતા આ નિયમો CAA-2019 હેઠળ પાત્ર વ્યક્તિઓને ભારતીય નાગરિકતાની અનુદાન માટે અરજી કરવા સક્ષમ બનાવશે. અરજીઓ સંપૂર્ણપણે ઓનલાઈન મોડમાં સબમિટ કરવામાં આવશે જેના માટે વેબ પોર્ટલ આપવામાં આવ્યું છે.
પાછલી પોસ્ટ