Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશના ડિંડોરીમાં પીકઅપ વાનને નડ્યો ગંભીર અકસ્માત, 14 લોકોના મોત

મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક ગોઝારો અકસ્માત થયો છે. સીમંત વિધિ પતાવીને પરત ફરી રહેલા પરિવારજનોને આ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ભયાનક અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. તો 21 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને શાહપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સ્ટિયરિંગ પર નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે.

અકસ્માતનું કારણ પીકઅપ વાહનની બ્રેક ફેલ થઇ ગઇ હોવાનું કહેવાય છે. જે બાદ ડ્રાયવરે પીક અપ વાનના સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો  અને 20 ફૂટ નીચે ખેતરમાં પલટી ગઇ હતી.  જબલપુર સારવાર માટે લઈ જવામાં આવી રહેલા ઇજાગ્રસ્તોમાં એક મુસાફરનું મોત થયું હતું. ડિંડોરીના કલેક્ટર વિકાસ મિશ્રાએ જણાવ્યું કે ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.  ઇજાગ્રસ્તોમાં – મદન સિંહ (પિતા બાબુ લાલ આરમો, 45 વર્ષ, અમહાઈ દેવરી નિવાસી), પીતમ (પિતા ગોવિંદ બરકડે, 16 વર્ષ, પોંડી માલ નિવાસી), પુન્નુ લાલ (55 વર્ષ , પિતા રામ લાલ, અમ્હાઈ દેવરીના રહેવાસી), મહદી બાઈ (પતિ વિશ્રામ 35 વર્ષ સજનિયા જિલ્લો ઉમરિયા), સેમ બાઈ (પતિ રમેશ, 40 વર્ષ, અમહાઈ દેવરી), લાલ સિંહ (પિતા ભાનુ, 55 વર્ષ, અમહાઈ દેવરી), મુલિયા (પતિ ધોળી 60 વર્ષ અમાઈ દેવરી) , તિત્રીબાઈ (પતિ ક્રિપાલ, 50 વર્ષ, રહે. આર્ટેરી જિલ્લો ઉમરિયા), સાવિત્રી (પતિ નાનસાઈ, 55 વર્ષ ,પોંડી જિલ્લો ઉમરિયા), સરજુ (પિતા ધનુઆ 45 વર્ષ અમહાઈ દેવરી), સમહર (પિતા ફાગુઆ ,55 વર્ષ, પોંડી), મહાસિંગ (પિતા સુખલાલ 72 વર્ષ) પોંડી), લાલ સિંહ (પિતા નાનસાઈ, 27 વર્ષ, પોંડી) કિરપાલ (પિતા સુકાલી 45 વર્ષ અમહાઈ દેવરી- રેફરલ દરમિયાન મૃત્યુ)નો સમાવેશ થાય છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે અકસ્માતની આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.CMO તરફથી પોસ્ટ કરવામાં આવ્યું છે કે, મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે ડિંડોરી જિલ્લામાં થયેલા વાહન અકસ્માતમાં અનેક અમૂલ્ય જીવોના અકાળે મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. X પર લખવામાં આવ્યું હતું કે, “તેમણે ભગવાનને પ્રાર્થના કરી છે કે તેઓ દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારને આ વીજળી સહન કરવાની શક્તિ આપે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ઘાયલોની યોગ્ય સારવાર માટે જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીની સૂચના પર કેબિનેટ મંત્રીઓ પણ સ્થળ પર પહોંચી રહ્યા છે.

Related posts

सरकार अर्थव्यवस्था को बढ़ावा देने के लिए कई उपायों पर काम कर रही है: वितमंत्री

aapnugujarat

થાણેના ૧૬ હોટસ્પોટ વિસ્તારમાં ૩૧ માર્ચ સુધી લૉકડાઉન લદાયું

editor

ચૂંટણી અગાઉ રાહુલ ગાંધીએ અમેઠીની પ્રજાને પત્ર લખીને જણાવ્યું કે, અમેઠી સાથે તેમના સંબંધ ભાવનાત્મક રીતે એટલા જ મજબૂત છે

aapnugujarat
UA-96247877-1