Aapnu Gujarat
ગુજરાત

ગૌતમ અદાણી ગુજરાતમાં 5 વર્ષમાં બે લાખ કરોડનું રોકાણ કરશે, એક લાખ જોબ સર્જાશે

ગુજરાતમાં ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ થઈ ગયો છે જ્યાં ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં કરોડો રૂપિયાનું મૂડી રોકાણ કરવાના વચન આપ્યા છે. ગુજરાતમાં પહેલેથી મોટા પાયે હાજરી ધરાવતા અદાણી જૂથે જાહેરાત કરી છે કે તેઓ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં બે લાખ કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરશે. વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહેલા અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ જણાવ્યું કે ગુજરાત તેમના માટે બહુ મહત્ત્વનું રાજ્ય છે. અહીં 2 લાખ કરોડ રૂપિયાના રોકાણના કારણે એક લાખ જોબ સર્જાશે.

અદાણી જૂથ હવે ક્લિન અને સસ્ટેનેબલ એનર્જી પર ફોકસ ધરાવે છે. તેથી આગામી સમયમાં ગુજરાતમાં ક્લીન અને રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં રોકાણ વધારવામાં આવશે. ગૌતમ અદાણીએ પોતાની ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી જણાવતા કહ્યું કે હવે ભવિષ્ય સસ્ટેનેબલ એનર્જીનું છે. અમે આત્મનિર્ભર ભારતના લક્ષ્ય હેઠળ સૌથી વિશાળ ઈન્ટીગ્રેટેડ, રિન્યુએબલ એનર્જી ઈકોસિસ્ટમ તૈયારી કરીશું જેનાથી એક લાખ લોકોને રોજગારી મળશે.

ગૌતમ અદાણીએ કહ્યું કે અમે ગયા વખતની સમિટમાં રૂ. 55 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અત્યાર સુધીમાં અમે 50,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યા છીએ. અમે કચ્છમાં વિશ્વનું સૌથી મોટું ગ્રીન પાર્ક આપવાના છીએ. કચ્છમાં 25 ચોરસ કિલોમીટર એરિયામાં ગ્રીન એનર્જી પાર્ક તૈયાર થઈ રહ્યું છે જ્યાં 30 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. આ પાર્ક એટલું મોટું હશે કે તે અંતરિક્ષમાંથી પણ જોઈ શકાશે. વર્ષ 2024 પછી ભારતના જીડીપીમાં 185 ટકાનો વધારો થયો છે. વ્યક્તિદીઠ આવકમાં સરેરાશ 165 ટકાનો વધારો થયો છે. અત્યારના ભૂરાજકીય સંઘર્ષ વચ્ચે પણ ભારતના જીડીપીમાં જે વધારો થયો તે બહુ મોટી સિદ્ધિ છે. તેમણે એમ પણ કહ્યું કે અત્યાર સુધીમાં જેટલી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજાઈ છે તેમાં દરેકમાં મેં ભાગ લીધો છે જે વાતનો મને ગર્વ છે.

વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર સમિટમાં અદાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત એ વડાપ્રધાન મોદીના અસાધારણ વિઝનનું પરિણામ છે. તેમાં વિશાળ મહત્ત્વાકાંક્ષા, સ્કેલ અને અસરકારક અમલીકરણનો સમન્વય થયો છે. અદાણીએ કહ્યું કે ભારત હવે મજબૂત જીડીપી ગ્રોથના માર્ગે છે અને વર્ષ 2014થી માથાદીઠ આવક વધી રહી છે. છતાં સૌથી બેસ્ટ સમય હજુ આવવાનો બાકી છે.

તેમણે જણાવ્યું કે અદાણી જૂથ ગુજરાતમાં જે રોકાણ કરશે તેનાથી ઈનોવેશનને વેગ મળશે, રોજગારીની તકો સર્જાશે અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ગ્રોથને ઉત્તેજન મળશે. તેમણે પોતાના વક્તવ્યમાં પોતાના ગ્રૂપની યોજનાઓ જણાવવા ઉપરાંત વડાપ્રધાનની કામગીરીને ખાસ બિરદાવી હતી.

Related posts

બોડેલી તાલુકામાં સાંસદ ગીતાબેન રાઠવાએ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

aapnugujarat

લખતરના વરસાણી ગામના યુવકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

aapnugujarat

ભાજપ ચૂંટણી પહેલા એક્શન મોડમાં – 182 વિધાનસભાની દીઠ પેજ કમિટીનું સંમેલન થશે

aapnugujarat
UA-96247877-1