Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માત : 10 લોકોના મોત

અમદાવાદ અને બગોદરા હાઈવે પર ટ્રક અને મિની ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. જેમાં 10 લોકોના કરૂણ મોત થયાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આ તમામ લોકો ચોટીલા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ સમયે અચાનક ટ્રક અને મિની ટ્રકની ટક્કર થઈ ગઈ અને ગંભીર અકસ્માત થયો હતો. જેના પગલે 5 મહિલા, 3 બાળકો સહિત પુરુષોના કરૂણ મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અત્યારે આસપાસ સ્થાનિકોનો જમાવડો થઈ ગયો છે અને પોલીસ, એમ્બ્યુલન્સને જાણ કરી દેવામાં આવી છે.

ચોટીલા દર્શન કરીને પરત ફરતા હતા
ગુજરાતમાં અત્યારે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરોના રસ્તા પર રેસિંગ ટ્રેક સમજીને ગાડી ચલાવતા નબીરાઓના કારણે અનેક જીવ જોખમાય છે. તો બીજી બાજુ ઈસ્કોન બ્રિજ અકસ્માતના ઘાવ હજુ રુઝાયા નથી કે સુરત અને બગોદરા હાઈવે પાસે અકસ્માતોનો દોર ચાલ્યો છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આજે શુક્રવારે ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા લોકોની મુસાફરીવાળી મીની ટ્રકનો અકસ્માત થયો હતો.

ગંભીર ટક્કર થતા 10 લોકોના મોત
મીની ટ્રક અને ટ્રક વચ્ચે અમદાવાદ અને બગોદરા હાઈવે પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેના પરિણામે અહીં 10 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આમાં 3 બાળકો સહિત મહિલાઓ અને પુરુષો સામેલ છે. ઉલ્લેખનીય છે કે અહીં પંચર પડેલી સ્થિતિમાં એક ટ્રક પહેલાથી જ ઊભી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તેવામાં પૂર ઝડપે મિની ટ્રક આવી અને અહીં ઊભેલી ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
સ્થાનિકોનો જમાવડો થઈ ગયો
જોતજોતામાં જ મિની ટ્રકનું તો પડીકું વળી ગયું હોય એવી સ્થિતિ થઈ હતી. જેમાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે 10 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. તથા અન્ય જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર માટે આરોગ્ય કેન્દ્રએ ખસેડવામાં આવ્યા છે. અત્યારે પોલીસની ટીમને પણ સ્થાનિકોએ જાણ કરી દેતા તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તથા 108ની ટીમ પણ હાજર છે અને પ્રાથમિક સારવાર આપી રહી છે.

Related posts

मुंद्रा, अंजार और गांधीधाम में जलभराव जैसे दृश्य दिखे

aapnugujarat

લખતરના તલાવણીમાં ગ્રામપંચાયત વિરુધ્ધ ભ્રષ્ટાચારનો આરોપ

editor

બોડેલીની એમડીઆઈ સ્કૂલ (ખત્રી વિદ્યાલય)માં આઈ ચેકઅપ કેમ્પ યોજાયો

aapnugujarat
UA-96247877-1