અંજન શ્રીવાસ્તવે જણાવ્યું કે અમિતાભ બચ્ચન ખોટા બેંક સ્ટેટમેન્ટના કારણે ખરાબ રીતે ફસાઈ ગયા હતા. તેમણે કહ્યું, ‘જ્યારે ABCL અકાઉન્ટ હતું ત્યારે અમિતજી તેમાં ફસાઈ ગયા હતા. અમે બેંકમાંથી સ્ટેટમેન્ટ લેવા માટે તેમની ઓફિસમાં જતા હતા અને લોકો તેમની સાથે છેતરપિંડી કરતા હતા. મેં મેનેજરોને કહ્યું કે અમિતાભ બચ્ચન સામે કેસ ના કરો કારણ કે તેઓ નિર્દોષ છે.
અંજન શ્રીવાસ્તવે જણાવ્યું કે અમિતાભ બચ્ચન ગરીબ થઈ ગયા હતા. તેમની કંપની ABCL ભારે ખોટમાં હતી. પરંતુ, ‘કૌન બનેગા કરોડપતિ’એ તેમના દિવસો સુધાર્યાં. પરંતુ અંજન શ્રીવાસ્તવને આશ્ચર્ય થયું કે ‘કૌન બનેગા કરોડપતિ’માં જોડાયા બાદ અમિતાભ સંપૂર્ણપણે બદલાઈ ગયા. તેમણે તેમના તમામ જૂના મિત્રો સાથે સંબંધો તોડી નાખ્યા.
‘KBC’ પછી અમિતજી અને મારા સંબંધોમાં ખટાશ આવી ગઈ. પહેલા જયાજી મને ફોન કરતા અને તેમના પરિવાર સાથે હોળી ઉજવવાનું આમંત્રણ આપતા. પરંતુ ધીમે ધીમે આમંત્રણો અને સંપર્કો સંપૂર્ણપણે ખતમ થઈ ગયા. તેની મારી કારકિર્દી પર કોઈ અસર થઈ ન હતી, પરંતુ નુકસાન તો થયું જ. ક્યાંક ને ક્યાંક મારા કેટલાક થિયેટર મિત્રોનો પણ દોષ હતો જેમણે અમિતજીને મારી વિરુદ્ધ ભડકાવ્યા.