Aapnu Gujarat
રાષ્ટ્રીય

IT ડિપાર્ટમેન્ટે ઓછી આવક દેખાડવાના કેસમાં એક લાખથી વધુ લોકોને નૉટિસ ફટકારી

આવકવેરા રિટર્ન ભરવાની સિઝન ચાલુ છે અને 31 જુલાઈએ આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. આ દરમિયાન છેલ્લા ચાર-પાંચ વર્ષમાં ઘણા લોકોએ આઈટી રિટર્નમાં ઓછી આવક દેખાડી હોય તેવું આવકવેરા વિભાગને લાગે છે. તેના કારણે આઈટી વિભાગ ઘણા લોકોને ધડાધડ નોટિસ ફટકારી રહ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે આવકવેરા વિભાગે એક લાખ લોકોને નોટિસ ફટકારી છે. આ લોકોએ તેમની આવક ઓછી દેખાડી છે અથવા ઘણા કેસમાં આવક ડિકલેર નથી કરી. તેમણે આ વિશે વધારે સ્પષ્ટતા નથી કરી, પરંતુ એટલું જણાવ્યું હતું કે આ તમામ કેસ 4થી 6 વર્ષ જૂના આઈટી રિટર્નને લગતા છે. 31 માર્ચ 2024 સુધીમાં આ તમામ નોટિસ પર સ્ક્રુટિનીનું કામ પૂર્ણ થઈ જશે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે જે લોકોની વાર્ષિક આવક 50 લાખ રૂપિયા કરતા વધારે છે તેમને નોટિસ આપવામાં આવી છે. કારણ કે તેમની આવકમાં હજુ ઘણી જગ્યાએ મિસમેચ જોવા મળે છે. આ ઉપરાંત જે લોકોએ આઈટી રિટર્ન ફાઈલ નથી કર્યા તેમને પણ નોટિસ પાઠવવામાં આવી છે. આવકવેરાના કાયદા પ્રમાણે આઈટી વિભાગના અધિકારી છેલ્લા છ વર્ષના આઈટી રિટર્નની ચકાસણી કરીને તેના એસેસમેન્ટ પછી નોટિસ આપી શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે હવેથી 6 વર્ષ પછી કોઈ પણ કરદાતાએ એસેસમેન્ટનો સામનો કરવો નહીં પડે. ચોથા, પાંચમા અને છઠ્ઠા વર્ષે ટેક્સ ઓફિસરો ચોક્કસ કેસમાં શંકા હોય ત્યારે જ એસેસમેન્ટ કરશે અને જરૂર પડશે તો નોટિસ પાઠવશે. સામાન્ય રીતે વ્યક્તિની વાર્ષિક આવક જ્યારે 50 લાખ રૂપિયા કરતા વધારે હોય ત્યારે જ આ પ્રકારનું એસેસમેન્ટ કરવામાં આવતું હોય છે.
અત્યાર સુધીમાં આવી એક લાખ નોટિસ આપવામાં આવી છે અને CBDTના અધિકારીઓએ મને ખાતરી આપી છે કે 2024ના માર્ચ મહિના સુધીમાં તમામ કેસમાં સ્ક્રુટિની થઈ જશે, તેમ નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.
આવકવેરા વિભાગ ક્યારે નોટિસ ફટકારે છે?
આવકવેરે વિભાગ અલગ અલગ કારણોથી કરદાતાઓને નોટિસ ફટકારી શકે છે. તેમાં ટોચના 4 કારણો આ મુજબ છેઃ

1) ટીડીએસની રકમમાં મિસમેચ હોય ત્યારે આઈટીની નોટિસ આવી શકે છે. ફોર્મ 26AS અને 16 અથવા 16A હેઠળ ટીડીએસના આંકડા અલગ હોય ત્યારે નોટિસ આવવાનું જોખમ રહે છે.
2) ફોર્મ 26-એ અને તમારી આવકના રિટર્ન વચ્ચે તફાવત હોય ત્યારે પણ નોટિસ આવી શકે છે.
3) કેટલીક વખત ખોટા સેક્શનમાં માહિતી ભરીને ડિડક્શન ક્લેમ કરવામાં આવે અથવા વ્યાજની આવક દર્શાવી ન હોય, ડિવિડન્ડની આવક દર્શાવવાની રહી ગઈ હોય ત્યારે નોટિસ મળી શકે છે.
4) કોઈ નાણાકીય વર્ષમાં તમે હાઈ વેલ્યૂ ટ્રાન્ઝેક્શનની માહિતી ન આપો. જેમ કે 10 લાખથી વધારે રકમના ફોરેન કરન્સીમાં ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનની માહિતી આપી ન હોય તો નોટિસ મળી શકે છે.

Related posts

1 मार्च से बुजुर्ग और बीमार लोगों को दी जाएगी कोरोना वैक्सीन

editor

माओवादी शुभचिंतकों पर सुप्रीम कोर्ट में टली सुनवाई

aapnugujarat

उमर व महबूबा को आवास खाली करने का नोटिस

aapnugujarat
UA-96247877-1