ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થયાને 45 દિવસ થઈ ગયા છે. ત્યારે ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 119 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે. આ મૃત્યુના કારણો ખરાબ હવામાન, મુશ્કેલ ચઢાણ અને અન્ય રોગો હોવાનું કહેવાય છે. ચારધામ યાત્રા 22 મેના રોજ શરૂ થઈ હતી. ત્યારથી આ યાત્રામાં દેશભરમાંથી લગભગ 20 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો છે. તેમાંથી લગભગ 2.1 લાખ મુસાફરોને આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સહાય પણ પૂરી પાડવામાં આવી છે.
હિમાલયના આ તીર્થસ્થાનોમાં આ વર્ષે મે મહિના સુધી સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે જબરદસ્ત ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. તીવ્ર ઠંડીથી હાર્ટ એટેક અને શ્વસન સંબંધિત રોગોના કારણે મૃત્યુનું મુખ્ય કારણ છે. માહિતી અનુસાર, સોમવાર સુધીમાં કેદારનાથ યાત્રા દરમિયાન 58 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃત્યુ પામેલા મોટાભાગના શ્રદ્ધાળુઓ બંગાળ, મહારાષ્ટ્ર, યુપી, એમપી અને ગુજરાતના છે.