Aapnu Gujarat
રાષ્ટ્રીય

કર્ણાટકમાં JDS ફરી બનશે કિંગમેકર…..

મીઠા વગર ખાવાનું ન બની શકે… કર્ણાટકની ચૂંટણીના એક્ઝિટ પોલ્સ પર ટિપ્પણીમાં જનતા દલ સેક્યુલર (JDS)ના નેતા તનવીર અહમદે આ રસપ્રદ વાત કરી છે. તેમણે એક ન્યૂઝ ચેનલ પર ડિબેટ દરમિયાન દાવો કર્યો કે, કોંગ્રેસ પાર્ટી હોય કે ભાજપ, કોઈને પણ ગમે તેટલી બેઠકો મળે, જેડીએસની મદદ વિના સરકાર તો નહીં જ બની શકે. તેમના આ દાવામાં દમ પણ દેખાઈ રહ્યો છે. મોટાભાગના સર્વેમાં સામે આવ્યું છે કે, કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ પાર્ટી ભાજપ પર ભારે પડતી જોવા મળી રહી છે, પરંતુ તે પોતાના દમ પર સત્તામાં આવી શકે તેમ નથી. ભાજપ તો પછડાઈ જ રહ્યો છે. એવામાં જેડીએસ સત્તાની ચાવી પોતાના હાથમાં આવવાની શક્યતા જોતા જ ખુશીથી ઝૂમી ઉઠી છે.

ભારતના રાજકારણમાં કેન્દ્રથી લઈને રાજ્યો સુધી ‘સત્તાની ચાવી’ મળવાનું સૌભાગ્ય નાના-નાના પક્ષોને મળતું રહ્યું છે. આ સંદર્ભમાં દિવંગત રામવિલાસ પાસવાનને યાદ કરવા તદ્દન પ્રાસંગિક છે. તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સામે જયપ્રકાશ નારાયણની ‘સંપૂર્ણ ક્રાંતિ’માંથી નીકળેલા આ કદાવર નેતાએ એ સ્થાન મેળવી લીધું હતું કે કેન્દ્રની લગભગ દરેક સરકારમાં તેમની પાર્ટી સહભાગી બનતી રહી અને તેઓ પોતે મંત્રી બનતા રહ્યા. ગઠબંધનની રાજનીતિના સમયમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ હોય કે કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ, રામવિલાસ પાસવાને બંને સરકારોમાં મંત્રી પદ મેળવ્યું. એ જ રીતે 2018ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ જેડીએસના હાથમાં સત્તાની ચાવી આવી હતી. આવું જ ફરી વખત થવાની શક્યતા એક્ઝિટ પોલ્સના આંકડા દર્શાવી રહ્યા છે.

આ વખતે પણ જેડીએસને એ જ તક મળવાની ઘણી શક્યતા છે. અનુમાનોમાં કોંગ્રેસ પાર્ટીને ક્રમશઃ 113 અને 122થી 140 બેઠકોની સાથે બહુમતી આપી છે. તો, ઝી ન્યૂઝ મુજબ કોંગ્રેસ પાર્ટીને 103થી 118 બેઠકો મળી શકે છે. ટીવી9ના સર્વેમાં પણ કોંગ્રેસને જ લીડ મળતી દર્શાવાઈ છે. પરંતુ, તેને 99થી 109 સીટો સુધી સીમિત રખાઈ છે. એબીપી ન્યૂઝનો એક્ઝિટ પોલ જણાવે છે કે, કોંગ્રેસ પાર્ટીને 100થી 112 બેઠકો મળવાનું અનુમાન છે. તો, ન્યૂઝ નેશન અને સુવર્ણ ન્યૂઝના સર્વેમાં ભાજપને લીડ મળતી દર્શાવાઈ છે. આ બધા સર્વેનો નિષ્કર્ષ કાઢીએ તો ત્રિશંકુ વિધાનસભાની શક્યતાને નકારી શકાતી નથી. તો, જેડીએસની સ્થિતિ પર નજર નાખીએ તો અલગ-અલગ એક્ઝિટ પોલમાં 20થી 40 બેઠકો મળવાનું અનુમાન લગાવાયું છે. સ્વાભાવિક છે કે, 100 બેઠકોની આસપાસ લટકી રહેલી પાર્ટીને સરકાર બનાવવા માટે જેડીએસનું જ સમર્થન લેવું પડશે.
તનવીર અહમદ એટલે જ કહી રહ્યા છે કે, ‘હું ખુશ છું કે, તમે ઓછામાં ઓછી અમને 24 (બેઠકો મળતી) બતાવી રહ્યા છો. ગત વખતે જ્યારે એક્ઝિટ પોલ આવ્યા હતા, અમને 18 બતાવ્યા હતા અને અમે 38 પર આવ્યા હતા. જેમ મીઠા વિના કોઈ ખાવાનું નથી બનતું, અમારા વગર કોઈ સરકાર પણ નહીં બને. હું ખાતરી આપું છું તમને. તમે 18 મેએ કર્ણાટકમાં આવજો… દેવગૌડાનો બર્થ-ડે છે… આંકડા અને હકીકતમાં ઘણો ફરક છે. કર્ણાટકમાં સરકાર બનશે તો જેડીએસ તરફથી જ બનશે.’

 

Related posts

एक चुनाव ने दे दी किसी की हत्या की ताकत ? : मॉब लिंचिंग पर शशि थरूर ने उठाया सवाल

aapnugujarat

A shopkeeper shot dead by terrorists in Srinagar

aapnugujarat

राष्ट्रपति चूनाव : कोविंद ने नामांकन भरा, मोदी मौजूद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1