ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન પેટ કમિન્સ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ પહેલા પરત ઓસ્ટ્રેલિયા ફરશે. કમિન્સ તેના અંગત કારણોસર થોડા સમય માટે ઓસ્ટ્રેલિયા જશે. જો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ૧ માર્ચથી શરૂ થવાની છે. તે મેચની શરૂઆત પહેલા ભારત પરત ફરે તેવી સંભાવના છે. પેટ કમિન્સ ઈન્દોરમાં રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલા સિડની જશે.
ઓસ્ટ્રેલિયા ટીમને તેનાથી માટે મોટો ફટકો પડી શકે છે. અહેવાલો પરથી મળતી માહિતી અનુસાર, પરિવારમાં કોઈ બીમાર છે તેના કારણે તે પરત ફર્યો છે. જો કે તેમના તરફથી હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
કમિન્સે અત્યાર સુધી બોર્ડર ગાવસ્કર ટ્રોફીનું પર્ફોર્મન્સની વાત કર્યે તો ૩૯.૬૬ની એવરેજથી ત્રણ વિકેટ લીધી છે.
ઓસ્ટ્રેલિયા ટીમે ચાર મેચોની શ્રેણીમાં પ્રથમ બે મેચ હારી ગઈ છે. હવે ઓસ્ટ્રેલિયા પાસે સિરીઝ જીતવાની તક નથી, પરંતુ બાકીની બે મેચ જીતીને ટીમ સિરીઝ ડ્રો કરી શકે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ