Aapnu Gujarat
ગુજરાત

લીંબડીની સગીરા પર દુષ્કર્મ કરનાર શિક્ષકને થઇ આજીવન કેદની સજા

લીંબડીની મસ્જિદમાં ઉર્દૂનું શિક્ષણ આપતો રાણપુરનો શિક્ષક સગીરાને લલચાવી ફોસલાવી મુંબઈ ભગાડી ગયો હતો. મુંબઈમાં જઈ સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. આ અંગે લીંબડી પોલીસ મથકે સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હવસખોરને આજીવન કેદની સજા ફટકારી હતી.લીંબડી શહેરની મસ્જિદમાં મુસ્લિમ સમાજના બાળકોને ઉર્દૂ ભાષાનું શિક્ષણ આપવામાં માટે રાણપુરના નૂરમહંમદ લીયાકતહુસેન સૈયદને રાખવામાં આવ્યો હતો. નૂરમહંમદ સૈયદ મસ્જિદ સિવાય લોકોના ઘરે જઈને પણ બાળકોને ઉર્દૂ શિખવતો હતો. તા.૫ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ નૂરમહંમદ ૧૩ વર્ષ અને ૪ માસની બાળકીને ફોસલાવી મુંબઈ ભગાડી ગયો હતો. મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં મકાન રાખી નૂરમહંમદે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારજનોએ નૂરમહંમદ સામે લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે લીંબડીની કોર્ટમાં કેસ ચાલી જતાં મદદનીશ સરકારી વકીલ કિરણભાઈ શાહે એવી દલીલો કરી હતી કે આરોપી પોતે ૨૬ વર્ષનો છે જ્યારે સામે ભોગ બનનારની ઉંમર બાળકી જેવી જ છે. આટલું જ નહી પરંતુ તે બાળકીના ઘરે જઇને ધાર્મિક શિક્ષણ આપતો હતો. આ કેસમાં આરોપીને કડક સજા કરવી જઇએ તેવી દલીલો કરીને કેસને સમર્થન આપતા પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. જ્યારે સામે આરોપી પક્ષના વકીલે એવી દલીલો કરી હતી કે આરોપી લાંબા સમયથી જેલમાં છે. તેની આર્થિક સ્થિતિ નબળી છે, આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી, આ પહેલો જ ગુનો હોય તેના ઉપર રહેમ રાખીને ઓછી સજા કરવા અપીલ કરી હતી. બંને પક્ષના વકીલોની દલીલોને ધ્યાને રાખી લીંબડી એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ.કે.ચૌહાણે આરોપી નૂરમહંમદને આજીવન કેદની સજા ફટકારી હતી. ભોગ બનનારને રૂ.૫૦ હજાર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

Related posts

બૂટલેગરોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપનાર વડોદરાનાં ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ

aapnugujarat

ભાજપના રાજમાં ખુલ્લેઆમ ગેરકાયદે ભ્રષ્ટાચાર ચાલે છે : સુરેશ મહેતા, પીયુસીએલના ગૌતમ ઠાકર

aapnugujarat

શ્રદ્ધાળુઓને નર્મદામાં ડુબકી મારવા જેટલું પણ પાણી નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1