કોંગ્રેસના નવા અધ્યક્ષને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોમવારે કહ્યું કે, પાર્ટીમાં એકમત છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ બને અને દેશભરના કોંગ્રેસીઓની ભાવનાઓને સમજીને રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષનો પદ સ્વીકાર કરી લેવો જોઈએ. અશોક ગેહલોતે કહ્યું કે જો રાહુલ પાર્ટીના અધ્યક્ષ નહીં બને તો કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો નિરાશ થઈ જશે. પાર્ટીના નવા અધ્યક્ષ અંગેની અટકળો અંગે પૂછવામાં આવતા ગેહલોતે પત્રકારોને કહ્યું કે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવું જોઈએ. તેમણે કહ્યું, ’જો રાહુલ ગાંધી અધ્યક્ષ નહીં બને તો તેનાથી કોંગ્રેસમાં નિરાશા આવશે. તેથી ઘણા લોકો ઘરે બેસી જશે અને તેનાથી અમને પણ તકલીફ થશે. તેમણે (રાહુલ) પાર્ટી સાથે જોડાયેલા લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આ પદ સ્વીકારી લેવું જોઈએ. ગેહલોતે કહ્યું કે પાર્ટીની અંદર પણ એવો અભિપ્રાય છે કે રાહુલ ગાંધીને નવા અધ્યક્ષ બનવું જોઈએ. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે, ’છેલ્લા ૩૨ વર્ષમાં આ પરિવારમાંથી કોઈ વ્યક્તિ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી કે મુખ્યમંત્રી બન્યું નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે ૭૫ વર્ષમાં દેશમાં કંઈ થયું નથી. જો આવું છે તો પછી બધા કોંગ્રેસ પર જ શા માટે હુમલો કરે છે કારણ કે કોંગ્રેસ પાર્ટી અને દેશનો ડીએનએ એક જ છે. કોંગ્રેસ તમામ ધર્મો અને વર્ગોને સાથે લઈને ચાલે છે. તે ઉપરાંત અશોક ગેહલોતે બીજેપી પર પ્રહાર કરતાં કહ્યું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે જીવન જરૂરીયાતની વસ્તુઓ પર ય્જી્ ન લગાવવા માટે બે વાર પત્રો મોકલીને પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની ખોટી નીતિઓને કારણે દેશમાં વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી સામે ૫ ઓગસ્ટના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત તમામ કોંગ્રેસના નેતાઓએ કાળા કપડા પહેરીને પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ કેન્દ્ર સરકાર બચાવની મુદ્રા પર આવી હતી અને ભાજપના કેન્દ્રીય નેતાઓ ગભરાઈ ગયા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ