Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં વહેલી ચૂંટણીના એંધાણ

દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાને પ્રદેશ ભાજપના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની સાથે અનેક નેતાઓ હાજર હતા. આ બેઠકને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જાેડવામાં આવી રહી છે.પીએમ નિવાસસ્થાને ચાલેલી આશરે ત્રણ કલાક લાંબી મિટિંગમાં આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગુજરાતના મુખ્ય સચિવ કૈલાશ નાથન હાજર છે. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ઝાટકણી કાઢી છે. તેમણે ટ્‌વીટ કર્યું, “ભાજપ આવતા અઠવાડિયે ગુજરાત વિધાનસભા ભંગ કરીને ગુજરાત ચૂંટણીની જાહેરાત કરશે? આટલો ડર “આપ” થી?
આ બેઠકને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જાેડવામાં આવી રહી છે. આગામી ચૂંટણીને લઈને ભાજપના મોટા નેતાઓ મિશન મોડમાં આવી ગયા છે. ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ હવે ચૂંટણી વહેલી યોજાય તેવી ચર્ચાઓએ જાેર પકડ્યું છે. તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.
આ ચૂંટણીમાં ભાજપની નજર આદિવાસી મતો પર છે. જેના કારણે ભુપેન્દ્ર પટેલ સરકારને મંત્રી બનાવવાથી લઈને આદિવાસી સંમેલનમાં કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોને જાેડવા સુધીની હોડ ચાલી રહી છે. ભાજપની આદિવાસી વોટબેંકને આકર્ષવા માટે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આદિવાસી સમાજના ચાર નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે પીએમ મોદીએ દાહોદમાં આદિવાસીઓની ખેતી કરવા માટે આદિવાસી સંમેલન પણ યોજ્યું છે.
ગુજરાત ચૂંટણીને લઈને આપ અને બીટીપી વચ્ચે ગઠબંધન થયું છે.બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અને આમ આદમી પાર્ટીના ગુજરાત કન્વીનર ગોપાલ ઈટાલિયાએ ગઠબંધનની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે બીટીપીના સ્થાપક અને ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મળ્યા બાદ ચૂંટણી લડવાનો ર્નિણય લીધો છે. ગુજરાતમાં આદિવાસી વોટ બેંકને ટેપ કરવા માટે આમ આદમી પાર્ટીએ આદિવાસી સમુદાયમાં પકડ ધરાવતા બીટીપી સાથે હાથ મિલાવ્યા છે.
બીટીપીના ગુજરાતમાં બે અને રાજસ્થાનમાં ત્રણ ધારાસભ્યો છે. છેલ્લી ચૂંટણીમાં,બીટીપી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, જેનો રાજકીય લાભ આદિવાસી પટ્ટામાં બંને પક્ષોને મળ્યો હતો. રાજસ્થાનના ઉદયપુર, ડુંગરપુરના વિસ્તારોમાં બીટીપીની મજબૂત પકડ છે, જ્યારે ગુજરાતના બાંસવાડા, બનાસકાંઠા, અંબાજી, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં સારી રીતે પ્રવેશ છે.

Related posts

બુલેટ ટ્રેનનું ખાતમૂર્હુત સ્થળ સલામતી છાવણીમાં ફેરવાયું

aapnugujarat

અમદાવાદની પેઢીનું ૧૮ કિલો સોનું લૂંટનારા શખ્સો પકડાયા

aapnugujarat

બુલેટ ટ્રેનનું ખાતમૂર્હુત સ્થળ સલામતી છાવણીમાં ફેરવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1