નરેન્દ્ર મોદી વિચાર મંચની તમામ શાખાની કાર્યકારિણી સભા તા. ૧૮ એપ્રિલનાં રોજ માધવાનંદ આશ્રમ, કોબા ખાતે યોજાઈ હતી.
ગુજરાત પ્રદેશ ઓલ શાખા અધ્યક્ષ ચેહરભાઈ દેસાઈના આયોજન હેઠળ સમગ્ર શાખાનાં હોદ્દેદારો તથા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓલ શાખા ધીરેન શુકલા, રાષ્ટ્રીય અધ્યક્ષ આઈટી સેલ રેખા રાવલ, ગુજરાત પ્રદેશ મહિલા શાખા અધ્યક્ષ પારૂલ દવે, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ દિપિકા સરડવા, ભારતીય જનતા પાર્ટીના મહેશ કસવાલા ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રદેશ પ્રવક્તા અને પ્રદેશ અધ્યક્ષના પ્રતિનિધિ તરીકે હાજર રહી માર્ગદર્શન આપેલ અને ખૂબજ પ્રભાવિત થયા. સમારંભની શોભા વધારી હતી.
સમારોહમાં મંચમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ પારૂલ દવે તથા રેખા રાવલ, સંગઠન મહામંત્રી મિનલ જાની, ઉપ પ્રમુખ શિલ્પા દેસાઈ આઈટી સેલ દ્વારા સન્માનપત્ર અર્પણ કરાયા.
આ ઉપરાંત નિલેશ કાકરીયા અધ્યક્ષ યુવા સેલ, હિતેશગિરી ગોસ્વામી અધ્યક્ષ, આઈટી સેલ, શૈલેન જાની, ભાવેશ દવે એ કાર્યક્રમને જાેરદાર રીતે સફળ બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ઉપાધ્યક્ષ વડોદરાના વિજયસિંહ ચૌહાણ તેમજ દક્ષિણ ગુજરાતના પ્રભારી હરવિંદરસિંગ ધિલ્લોન, મહિલા શાખા મંત્રી હેતલ અરોરા, મહામંત્રી શૈલેન જાની, નમો મંચના પ્રવક્તા ભાવેશ દવે, શ્રી સહજાનંદ સ્વામીનારાયણ ગુરૂકુળ દામનગરના પરમ પૂજ્ય આનંદ સ્વામી ઉપસ્થિત રહ્યાં હતાં.
પાછલી પોસ્ટ