ટ્વીટર વૉર આપ અને બીજેપીનું ગરમાયા બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ આપ સરકારનું નામ લીધા વિના કહ્યું 28 વર્ષના શાસનની કમ્પેરીઝન ના થઈ શકે. ત્યારે
મનિષ સિસોદીયાએ વીડી જારી કરી કહ્યું હતું કે,ગુજરાતના શિક્ષણ મંત્રીને ઓપન ડિબેટની ચેલેન્જ આપુ છું. સરકારી સ્કૂલોમાં કોનું કામ બેટર છે તેના પર વાત કરીશું. હું તેમને દિલ્હી આવવા આમંત્રણ આપુ છું. ગુજરાતમાં તમે તમારા શાસનકાળમાં સરકારી સ્કૂલમાં જે કામ કર્યું છે તે વાત કરીએ.
દીલ્હીમાં 7 વર્ષમાં જે કામ થયું અને તમારા શાસનમાં કામ થયુ તેના પર ખૂલીને વાત કરીએ. હું તમને દિલ્હીમાં સરકારી સ્કૂલોમાં લઈ જઈશ. આમ ફરી ઓપન ચેલેન્જ ઓપન ડીબેટ કરવાને લઈને આપી છે. કોણ સરકારી સ્કૂલોમાં કેવું કામ કરે છે એ વાતને લઈને ઓપન ડિબેટ કરીશું.
ત્યારે જીતુ વાઘાણીએ આ સરકારના શાસન સામે કોઈ કમ્પેરીઝન જ ના થાય તેવું સ્પસ્ટ કહ્યું છે. આપ અને બીજેપી વચ્ચેનો ટ્વીટર વૉરનો મામલો વધુ ગરમાઈ રહ્યાે છે. જેમાં કોંગ્રેસ પણ નિવેદન આપી ઝંપલાવ્યું છે.