સુરેશ ત્રિવેદી, ભાવનગર
માનવતા જેમનો મંત્ર છે, એવા મંત્રના માનવ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો જન્મોત્સવ એક પરમ સત નિમિત્ત હોય છે લાખો જીવોના આંસુને આનંદમાં પરિવર્તત કરવાનું, સમસ્ત ભારત અને વિદેશના અનેક ક્ષેત્રોમાં માનવતાની મહેંક પ્રસરાવવાનું!
આ વર્ષે પરમ ગુરુદેવના જન્મોત્સવ અવસરે અર્હમ યુવા સેવા ગ્રુપ-ભાવનગર દ્વારા અનંત અર્હમ આહાર અંતર્ગત 22.09.2021 થી 26.09.2021 પાંચ દિવસમાં 12,600 ગરીબ પરિવારોને મિષ્ટ ભોજન અર્પણ કરવામાં આવેલ અને અનેક ભૂખ્યા પરિવારોની ક્ષુધા તૃપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ.
સમસ્ત અર્હમ યુવા સેવા ગ્રુપનો ટાર્ગેટ છે કે, પરમ ગુરુદેવના ૫૧ માં જન્મોત્સવ અવસરે 51000 ગરીબોને મિષ્ટ ભોજન અર્પણ કરી, ગુરુ ચરણે માનવતાના સત્કાર્યની ભેટ અર્પણ કરવી. ભાવનગર અર્હમ યુુવા સેવા ગ્રુપે 12,600 ગરીબોને ભોજન અર્પણ કરી સહયોગ અને યોગદાન અર્પણ કર્યું છે.
ભાવનગર અર્હમ યુવા સેવા ગ્રુપ, લુક એન લર્ન જૈન જ્ઞાનધામ અને સર્વ મિશન્સના સેવકો, ગુરુભક્તો અને ભાવિકો આવા સત્કાર્યોની પ્રેરણા આપનાર અમારા જીવન અને આત્માને યોગ્ય દિશા આપનાર અમારા ઉપકારી રાહબર પરમ ગુરુદેવના ચરણોમાં અહોભાવપૂર્વક નત્ મસ્તકે શુભેચ્છા વંદના અર્પણ કરે છે.