ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક આગામી તારીખ ૧૮ મી સપ્ટેમ્બર ૨૦૨૧ ને શનિવારના રોજ સવારના ૧૦-૩૦ કલાકે જિલ્લા કલેકટરશ્રી એ. કે. ઔરંગાબાદકરના અધ્યક્ષપણા હેઠળ કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાશે. જેની દરેક સભ્યશ્રીઓએ નોંધ લઇ, આ બેઠકમાં ઉપસ્થિત રહેવા સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તરફથી જણાવવામાં આવ્યું છે.