ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
હાલ માં જ થોડા દિવસ પહેલાજ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનાં પાદરડી ગામે ભારત દેશની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવતા કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાળાને જુનાગઢ જિલ્લાની પોલીસ દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો છે અને જે કેશ દાખલ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવા અને જે લોકોએ માર માર્યો છે તેને નોકરી ઉપરથી કાયમી હટાવવામાં આવે તે બાબતે સર્વે સમાજ દ્વારા આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે . આ પ્રકારની ગુંડાગીરી પોલીસ દ્વારા ફૌજી સાથે તો ઠીક પણ એક સામાન્ય નાગરિક સાથે પણ ન કરવામાં આવે તે હેતુથી લિંબડી ખાતે આજે ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ દ્વારા આર્મીમેન સમર્થન માં લીંબડી મામલતદાર ને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે મામલતદાર મારફત સરકારને રજૂઆત આપણા ભારતીય ફોજી ભાઈને ન્યાય મળી રહે તે હેતુથી લીંબડી તાલુકામાં રહેતા ભાઈઓ મનુભાઈ જોગરણા, ખેડૂત આગેવાન ભરતભાઇ કમેજળીયા, મહિપતભાઈ ઝાપડીયા તેમજ દરેક સમાજના ચાલતા સંગઠનો, પરિવારોના પ્રમુખ, ઉપપ્રમુખ કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહિયા હતા..